મુંબઇ: વરસાદ આવતા જ મુંબઇ મહાનગરપાલિકાના પરીક્ષા શરૂ થઇ જાય છે. પાણી ભરાવાથી સમગ્ર મુંબઇમાં ઉંદરો નિકળતા હોય છે જેના કારણે મુંબઇ મનપા હેરાન થઇ જાય છે. માનસૂનની મોસમમાં ઉંદરો લેપ્ટોસ્પાયરોસિસ નામની એક સંક્રમક બીમારી ફેલાવે છે. જો કે આ મામલે મુંબઇ મનપાએ કંટાળીને એક જાહેરાત બહાર પાડી છે. જેમાં ઉંદર પકડવા માટે યુવકોને રોજગારી આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે એક સમાચાર એજન્સી સાથે થયેલ વાતચીતમાં મુંબઇ નગર પાલિકાના પશુ સંક્રમણ અટકાવનાર અધિકારી આર. એ. નરિનગરેકરે જણાવ્યું કે ગત 6 મહિનામાં મુંબઇ મહાનગરપાલિકાએ 2 27 000 ઉંદરને માર્યા છે.
In last 6 months BMC has killed 2 27000 rats we added a new program Night rat killing where we give chance to unemployed people to work. In monsoon leptospirosis spreads due waterlogging to curb it we are speeding up the process: R.A Naringrekar Insecticide Officer BMC pic.twitter.com/rwsCRnhDEn
ઉંદરોની વધતી તાકાત ક્યાંક ગંભીર બીમારીને આમંત્રણ ના આપે તેની આશંકાએ મુંબઇ મહાનગરપાલિકાએ બેરોજગાર યુવાનોને રોજગાર આપવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. જેમાં બેરોજગાર યુવાનોની ભરતી કરવામાં આવશે અને તેને ઉંદરોને મારવાનું કામ સોંપવામાં આવશે.
આપને જણાવી દઇએ કે મુંબઇ અને થાણેમાં સતત વરસાદનો દોર ચાલુ છે. એવામાં માત્ર શાળા-કોલેજોમાં જ રજા નહીં પરંતુ કેટલાક સ્ટેશનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુંબઇ વસઇ નવી મુંબઇ સોપાર અને ઠાણે દાદર સાયન માટુંગા બાંદ્રા ખાર સાંતાક્રૂઝ કાંદિવલી બોરીવલી અને કોલબામાં ભારે વરસાદને કારણે મોટાપાયે પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો.