આજે 26 નવેમ્બરે મુંબઈ હુમલાને 11 વર્ષ પૂરા થયા. આ એ તારીખ છે જ્યારે મુંબઈમાં આંતકી હુમલો થયો અને સાથે જ અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. મળતી માહિતી અનુસાર 10 આતંકીઓએ 60 કલાક સુધી આ મોતનો ખેલ રચ્યો અને 164 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા.
મુંબઈમાં થયો હતો આતંકી હુમલો
11 જવાનો શહીદ થયા અને નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ
લોકોના મનમાં આજે પણ યાદો છે તાજી
મુંબઈની એ ડરામણી સાંજ
26 નવેમ્બર 2008ની સાંજે મુંબઈ પોતાની રીતે કાર્યરત હતી અને અચાનક ગોળીઓનો વરસાદ શરૂ થયો. આતંકીઓએ પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કર્યું. લિયોપોલ્ડ કેફે અને છત્રપતિ શિવાજી ટર્મિનસથી શરૂઆત થઈ. કોઈને પણ અંદાજ હતો કે આ હુમલો આટલો મોટો હશે. થોડીવારમાં મુંબઈના અનેક વિસ્તારોમાં ધમાકા અને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. સાંજથી રાત થતાં તો મુંબઈમાં આતંકી કહેરની અસર સ્પષ્ટ દેખાવવા લાગી હતી.
મુંબઈ ટર્મિનસ પર સૌથી વધુ લોકો મોતને ભેટ્યા
આતંકનો તાંડવ સૌથી વધારે રેલવે સ્ટેશન પર જોવા મળ્યો. અહીં મોટી સંખ્યામાં યાત્રીઓ હાજર હતા ત્યારે 2 આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. 58 નિર્દોષ લોકો મોતને ભેટ્યા. ઉલ્લેખનીય છે કે આ હુમલાને અંજામ સુધી પહોંચાડવામાં અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન આતંકીઓ જવાબદાર હતા.
ન હતો આતંકીઓની સંખ્યાનો અંદાજ
છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન સિવાય આતંકીઓએ તાજ હોટલ, હોટલ ઓબેરોય, લિયોપોલ્ડ કૈફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈના અનેક સ્થાનોએ હુમલો કર્યો. અડધી રાત સુધીમાં તો મુંબઈ સહેમી ઊઠ્યું. પોલિસ સિવાય અર્ધસૈનિક ટુકડીઓ પણ મેદાનમાં ઉતારવામાં આવી. એકસાથે અનેક જગ્યાઓએ થયેલા હુમલાએ સૌને ચોંકાવી દીધા હતા.
તાડદેવ વિસ્તારથી પકડાયો હતો આંતકી કસાબ
મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં લોહીની હોળી રમાઈ. આતંકી અજમલ આમિર કસાબ તાડદેવ વિસ્તારમાંથી પકડાઈ ચૂક્યો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાનની આતંકી સાજીશની પોલ ખોલી હતી. તેની સાથે જે આતંકીઓ હતા અને મૃત્યુ પામ્યા હતા તેના નામ પણ તેણે જણાવ્યા હતા. ત્યારબાદ કસાબ પર કેસ ચાલ્યો અને તેને મોતની સજા આપવામાં આવી હતી.
પોલીસ વેનમાં ફરી રહ્યા હતા આતંકીઓ
મુંબઈ હુમલાને અંજામ આપવા માટે આતંકવાદીઓએ એક પોલીસ વેનની મદદ લીધી હતી. તેઓ પોલીસ વેનમાં ફરતા અને સડક પર ગોળીઓ ચલાવતા રહેતા. પછી તેઓ વેન સાથે હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં કહેર વરસાવ્યો. આ અથડામણમાં એટીએસના ચીફ હેમંત કરકરે, એસઆઈ અશોક કામ્ટે અને વિજય સાલસ્કર શહીદ થયા હતા. આ ઉપરાંત હુમલામાં કુલ 11 જવાન પણ શહીદ થયા હતા. 300 લોકો ઘાયલ થયા હતા.