મુંબઈ ATSના હાથે અલ્લારખા ખાન નામનો એક શખ્સ ઝડપાયો છે. ગુજરાતના ગાંધીધામમાં રહેતા અલ્લારખા ખાનની મુંબઈ ATSએ ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ મુંબઈ ATS દ્વારા અલ્લારખા ખાનની ધરપકડ કરવા પાછળનું કારણ એ છે કે અલ્લારખા ખાન શંકાસ્પદ ત્રાસવાદી ફૈઝલ હસનના સંપર્કમાં હતો.
સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે અલ્લારખા અને ત્રાસવાદી ફૈઝલ દુબઈમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. હાલ મુંબઈ પોલીસે અલ્લારખા ખાનના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે.