એનઆઈએએ કહ્યું કે સચિન વાજેએ નબળી કડી સમજી મનસુખ હિરેનની હત્યા કરી દીધી હતી.
વાજેએ નબળી કળી સમજી મનસુખ હિરેનની હત્યા કરી દીધી
બચવા માટે વાજેએ હિરેનને જવાબદારી લેવા કહ્યું હતું પરંતુ..
વાજેએ ATSને મનસુખ હિરેનને છોડવા દબાણ કર્યુ હતુ
વાજેએ નબળી કળી સમજી મનસુખ હિરેનની હત્યા કરી દીધી
એન્ટિલિયા કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીનું માનવું છે કે સસ્પેન્ડ એપીઆઈ સચિન વાજેએ કથિત રીતે મનસુખ હિરેનની હત્યા કરી દીધી હતી. કેમ કે વાજેએ તેને નબળી કડી સમજીને મર્ડર કર્યું હતું. કેમકે વાજેને લાગતું હતું કે જો મામલો તેના હાથમાંથી નીકળી જશે તો મનસુખ મોંઢુ ખોલી નાંખશે.
બચવા માટે વાજેએ હિરેનને જવાબદારી લેવા કહ્યું હતું પરંતુ...
તપાસ નિષકર્ષ તરફ વધી રહ્યો છે કે વાજેએ એન્ટિલિયાની બહાર બોમ્બ પ્લાન્ટ કરવાની યોજના બનાવી હતી. પરંતુ પોતાને બચાવવા માટે વાજેએ હિરેનને જવાબદારી લેવા કહ્યું હતું. હિરેને જવાબદારી લેવાથી ઈનકાર કર્યો તો વાજેને પોતાની યોજના નિષ્ફળ થતી દેખાઈ
વાજેએ ATSને મનસુખ હિરેનને છોડવા કહ્યું હતું
એનઆઈએના અધિકારીએ જણાવ્યું કે વાજેએ નકલી સિમ કાર્ડ અને વાહનો પર બદલાયેલી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. તેમજ છતાં વિસ્ફોટક ભરેલી કાર મળ્યાની રાત્રે જ ATSએ હિરેનને ઝડપ્યો હતો. તે સમયે વાજેએ ATSને મનસુખ હિરેનને છોડવા કહ્યું હતું.
હિરેનના પરિવારને જાણ હતી કે વાજેએ ...
એનઆઈએના અધિકારીએ કહ્યું કે સચિન વાજેને એ વાતનો અહેસાસ હતો કે અન્ય એજન્સીઓ મુનસુખની પુછપરછ કરશે તો કે તુટી જશે. એટલા માટે વાજેએ હિરેનની હત્યા કરવાની યોજના બનાવી હતી. આ યોજના મુજબ આ એક આત્મહત્યા જેવી લાગે તેવા પ્રયાસ કર્યા પણ મુંબ્રા ક્રીકમાં લો લાઈટના કારણે મૃતદેહ ઝડપથી મળી ગયો. જો કે હિરેનના પરિવારને જાણ હતી કે વાજેએ અગાઉ સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હતો.’
વાજેની વિરુદ્ધ પુરાવા વધી રહ્યા છે
હિરેનના વિસેરા રિપોર્ટ આવવાના બાકી છે. પુરાવાના આધારે એવું લાગે છે કે વાજેએ જ હિરેનની હત્યા કરી હતી. તેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ દર્શાવાવમાં આવ્યું નથી. લિગચરના નિશાન નથી. જે ડોક્ટરે પોસ્ટ મોર્ટમ કર્યુ હતુ તે કેટલીક ભૂલોના કારણે શંકાના દાયરામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજથી આ કેસમાં તપાસ એજન્સીને ઘણી મદદ મળી છે. એનઆઈના અધિકારીના જણાવ્યાનુંસાર સચિન વાજેની વિરુદ્ધ પુરાવા વધી રહ્યા છે.