મુંબઈ અને દિલ્હીમાં 32 ઓમિક્રોન સંદિગ્ધ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટના બાદ દેશની ચિંતા વધી છે.
મુંબઈમાં ઓમિક્રોન સંદિગ્ધના 17 કેસ
દિલ્હીમાં ઓમિક્રોન સંદિગ્ધના 15 કેસ
હવે દેશની વધી ચિંતા
મુંબઈ નજીકના ડોંબિવલીમાં મરચન્ટ નેવી એન્જિનિયરનો ટેસ્ટ ઓમિક્રોન પોઝિટીવ આવ્યા બાદ આ મોટી ઘટના છે. એમસીના સુરેશ કાકાણીએ જણાવ્યું કે મુંબઈના ઓમિક્રોન સંદિગ્ધોના રિપોર્ટ એક કે બે દિવસમાં આવી શકે છે. મુંબઈમાં ઓમિક્રોનના 17 સંદિગ્ધો નોંધાયેલા છે જેમાં 13 પ્રવાસીઓ છે અને ચાર તેમના સંપર્કમાં આવેલા સંદિગ્ધ છે. આટલા બીજા સંદિગ્ધો પણ રાજ્યમાં ફેલાયા હોવાની સંભાવના છે. બીએમસી દ્વારા જારી કરવામાં આવેલા એક અપડેટમાં એવું જણાવાયું છે કે બીએમસી પાસે હાઈ રિસ્ક દેશોમાંથી આવેલા 3,760 પ્રવાસીઓની યાદી છે અને તેમાંથી 2,794 પ્રવાસાીઓનું પગેરુ શોધી કાઢવામાં આવ્યું છે અને તેમનો કોરોના ટેસ્ટ કરાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 8,895 કેસ નોંધાયા છે.
દેશમાં એક દિવસ પહેલાની સરખામણીએ દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ 8,603 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ગત દિવસની સરખામણીએ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થવામાં સફળ થયા છે. આના કારણે, કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે.
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પાંચમો કેસ નોંધાયો છે. દિલ્હીમાં ટાન્ઝાનિયામાંથી આવેલો પ્રવાસી પોઝિટીવ નોંધાયો છે.
જાન્યુઆરી કે, ફેબ્રુઆરીમાં ઓમિક્રોન પોતાની ટોચ પર હશે
દેશમાં ત્રીજી લહેર આવવાનું લગભગ નિશ્ચિત છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રભાવ ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધી દેખાશે.તેમજ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોન પોતાની ટોચ પર હશે. પદ્મશ્રી, આઈઆઈટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મનિન્દ્ર અગ્રવાલે એક નવા અભ્યાસમાં આ દાવો કર્યો છે. ત્રીજી લહેર, જોકે, બીજી લહેર કરતાં ઓછી ઘાતક હશે. તમને જણાવી દઈએ કે હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન મળી આવ્યું છે, જેના કારણે આખી દુનિયામાં હલચલ મચી ગઈ છે.