રન વે પર થઇ રહેલા કામના કારણે મુંબઇનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આજે 6 કલાક સુધી બંધ રહેશે. એરપોર્ટ બંધ થવાનો સમય સવાર 11 થી સાંજે 5 વાગ્યા સુધી છે. રન વે ના મેન્ટેનેન્સના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઇ એરપોર્ટનો મુખ્ય રનવે અને બીજા રનવે ક્રોસ રનવેની સાથે બંધ રહેશે. એનાથી યાત્રીઓને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે કામના કારણે ઉડાન પર પણ અસર થશે.
Repair & maintenance work on the intersection to be done from 1100 hrs to 1700 hrs today at Mumbai Airport. Several flights rescheduled.
જો કે એરલાયન્સએ ઉડાનો રદ અને રિશેડ્યૂલ કરી દીધી છે. આ કામથી એ લોકોને પણ અસર થશે જેને કાલ સાંજે અને રાત માટે ટિકીટ ખરીદી છે. આ સમયે વધારે લોકો યાત્રા કરે છે જેના કારણએ મુંબઇથી બહાર માત્રા કરવા પર ફ્લાઇટ ટિકીટના ભાવ પણ વધી ગયા છે.