મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ(સીએસએમઆઈએ)ના ટર્મિનલ 1 એક વાર ફરી બંધ થવા જઈ રહ્યુ છે.
ટર્મિનલ 1 એક વાર ફરી બંધ થવા જઈ રહ્યુ છે
21 એપ્રિલથી ટર્મિનલ 2થી તમામ ઉડાનો સંચાલિત કરાશે
લગભગ દોઢ મહિના બાદ આ ફરી બંધ કરવામાં આવી રહ્યુ છે.
ટર્મિનલ 1 એક વાર ફરી બંધ થવા જઈ રહ્યુ છે
મહારાષ્ટ્ર તથા મુંબઈમાં વધતા કોરોના સંક્રમણના કારણે દેશમનું વ્યસ્ત એરપોર્ટમાં સામેલ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ(સીએસએમઆઈએ)ના ટર્મિનલ 1 એક વાર ફરી બંધ થવા જઈ રહ્યુ છે. 21 એપ્રિલથી એરપોર્ટ્સના ટર્મિનલ 2થી તમામ ઉડાનો સંચાલિત કરવામાં આવશે.
ટર્મિનલ 1 લગભગ 1 વર્ષ સુધી બંધ રહ્યુ હતુ
ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરના કારણે એરપોર્ટ્સનું ટર્મિનલ 1 લગભગ 1 વર્ષ સુધી બંધ રહ્યુ હતુ. એરપોર્ટ્સનું સંચાલન કરનારી ખાનગી કંપનીઓએ આને 10 માર્ચે જ ઉડાનો માટે ખોલ્યુ હતુ. લગભગ દોઢ મહિના બાદ આ ફરી બંધ કરવામાં આવી રહ્યુ છે.
21 એપ્રિલથી ટર્મિનલ 2થી તમામ ઉડાનો સંચાલિત કરાશે
ઉલ્લેખનીય છે કે ટર્મિનલ -1થી ડોમેસ્ટિક સંચાલન કરવામાં આવે છે. કોરોના મહામારીની ખરાબ થતી સ્થિતિને જોતા એરપોર્ટ્સ મેનેજમેન્ટે તાજો નિર્ણય કર્યો છે. સીએસએમઆઈએ એક નિવેદન જારી કરી કહ્યુ કે 21 એપ્રિલથી તમામ ઘરેલૂ તથા વિદેશની તમામ ઉડાનો ટર્મિનલ 2થી સંચાલિત કરવામાં આવશે.
એરલાઈન્સના સંપર્કમાં રહ્યા મુસાફરો
મુંબઈ એરપોર્ટ મેનેજમેન્ટે ગો એર, સ્ટાર એર, એર એશિયા, ટ્રુજેટ અને ઈન્ડિગોના પ્રવાસીઓને આગ્રહ કરવામાં આવ્યો કે તે આ સંબંધમાં કોઈ પણ માહિતી માટે પોતાની એરલાઈન્સનો સંપર્ક કરે. ઉલ્લેખનીય છે કે દેશમાં 24 કલાકમાં કુલ 4077 લોકોના મોત થયા. દેશમાં કોરોનાથી કુલ 2, 70, 284 મોત થયા. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. 24કલાકમાં 960 લોકોના મોત થયા છે. તો મહારાષ્ટ્ર નવા કેસ 34,848 નોંધાયા છે. સારી વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે.