ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર દેશમાં ફેલાયેલો કોરોના વાયરસ ભારતમાં કહેર વર્તાવી રહ્યો છે. દેશમાં વાયરસના સંક્રમણના ફેલાતા અટકાવવા માટે કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન જાહેર કર્યુ છે . જે 3 મે સુધી અમલમાં રહેશે. તેમ છતાં રોજ નવા કેસ સામે આવે છે. આ દરમિયાન મુંબઈ એરપોર્ટે જાહેરાત કરી છે કે તે એર સેવા ફરી ચાલુ કરવા માટે તૈયાર થઈ ચુક્યું છે.
મુંબઈ એરપોર્ટે પોતાની સુરક્ષાની તૈયારી કરી લીધી છે
હવે હવાઈ સેવા માટે એર સેવા માટે તૈયાર થઈ જાવ
પ્રવાસીઓને આ ગાઈડલાઈનને અનુસરવી પડશે
મુંબઈ એરપોર્ટે શનિવાકે પોતાના સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યુ કે તે પરિચાલન શરુ કરવા માટે તૈયાર છે. તેના માટેની તમામ જરુરી સેવાની તૈયારી કરી લીધી છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુંબઈ તરફથી જાહેર સંદેશમાં વિમાન મથકથી ફ્લાઈટ પકડનારા પ્રવાસીઓને કેટલાક દિશા- સૂચન પણ આપવામાં આવ્યા છે.
જે મુજબ એરપોર્ટ પર 1.5 મીટરથી દુર પર માર્કિંગ કરવામાં આવી છે . એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રવાસી પોતાના પ્રવાસ દરમિયાન આ અંતર અને માર્કિંગનું ધ્યાન રાખે . આ ઉપરાંત પ્રવાસીઓને એ સલાહ આપવામાં આવી છે કે તે એરપોર્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓના ઓછામાં ઓછા સંપર્કમાં આવે અને ઓનલાઈન ચેક-ઈનનો ઉપયોગ કરે જેથી વ્યર્થ સંપર્કથી બચી શકાય.
એરપોર્ટના પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે હાલ તેઓ ઓછામાં ઓછો સામાન લઈને પ્રવાસ કરે જે સાથે કહેવામાં આવ્યું છે કે એરપોર્ટ પરિસરમાં જેટલો થઈ શકે તેટલા કોન્ટેક્ટ લેસ લેવળદેવળનો ઉપયોગ કરે.
રેલવે એક પ્લાન બનાવાવની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે પણ રેલવેને મંજૂરી આપવામાં આવે ત્યારે માત્ર અમુક જ ટ્રેનોને શરુ કરવાની મંજૂરી આપવામાં આવશે. તથા શરૂઆતમાં ટ્રેનોનું ભાડું પણ વધારે રાખવામાં આવશે જેથી ભીડ ઓછી રહે. આ સિવાય સામાન્ય દિવસોમાં જે લોકોને કન્સેશન આપવામાં આવતું હતું તે આ સમય દરમિયાન બંધ કરી દેવામાં આવે તેવી સંભાવના છે. નોંધનીય છે કે રેલવે દ્વારા વરિષ્ઠ નાગરીકોને મુસાફરી દૂર રહેવા આગ્રહ કરવામાં આવી શકે છે જે માટે આપવામાં આવતા લાભો બંધ કરવામાં આવી શકે છે.
જનરલ કોચમાં ભીડના કારણે સંક્રમણ વધવાની શક્યતા છે તેને જોતા માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા લોકોને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય AC ડબ્બાઓને પણ હાલમાં બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે.
રેલવેનાં સ્લીપર ક્લાસનાં પાંચ હજાર કોચને આઈસોલેશન વોર્ડમાં ફેરવી નાખવામાં આવ્યા છે. જેના માટે વચ્ચેની સીટ હટાવી દેવામાં આવી છે. જોકે હજુ સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી એવામાં આ જ ડબ્બાઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે જેથી લોકો દૂર દૂર રહી શકે.
આ સિવાય રાજયો સાથે ચર્ચા બાદ દેશનાં અમુક જ સ્ટેશનો પર જ ટ્રેનો ચલાવવામાં આવશે. જે વિસ્તારોમાં કોરોના વાયરસના વધુ કેસ હોય ત્યાં ટ્રેનોની અવર જવર હાલમાં બંધ રહી શકે છે. રેલવેમાં યાત્રીઓની સાથે સાથે કર્મચારીઓની સુરક્ષા પણ મોટો પડકાર છે. જેથી કર્મચારીઓની સુરક્ષા માટે ગૃહમંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા દિશાનિર્દેશો બહાર પાડવામાં આવી શકે છે. એવામાં ટ્રેનો શરુ થયા બાદ બધાની જવાબદારીરેલવેની રહેશે.