મુંબઇ: જો તમે આગળના બે દિવસોમાં મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ક્યાંય બહાર જવાની યોજના બનાવી રહ્યા છો તે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હકીકતમાં 9 અને 10 એપ્રિલની બપોરે છ કલાક વિમાનની અવર જવર માટે મુંબઇ એરપોર્ટ બંધ રહેશે. 9 અને 10 એપ્રિલ 2018ની સવારે 11 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ક્રોસ રનવે પર કામ કરવામાં આવશે જે કારણથી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે.
દેશની નાણાકીય રાજધાની કહેવાતા મુંબઇ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું એકમાત્ર એરપોર્ટ છે જેને એક સિંગલ રનવે થી એક જ દિવસમાં 800થી વધારે વિમાનો ને સંભાળવાનો રેકોર્ડ દાખલ કર્યો છે. એવામાં વરસાદની તૈયારી માટે અત્યારથી વિમાનની અવર જવરને સંભાળવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
આ એરપોર્ટ પણ રહેશે બંધ
મુંબઇ એરપોર્ટ ઉપરાંત ચંડીગઢ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકનો માર્ગ 12 મે થી 31 મે સુધી બંધ રહેશે. કાલીકટ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક 15 જૂનને બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બંધ રહેશે. જયપુર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પણ 31 મે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.