મુંબઇ અથવા તો મુંબઇથી ઉડાન ભરનારા લોકોના ખિસ્સા પર માર્ચના અંત સુધી વધારે ખાલી થઇ શકે છે જેનું કારણ રનવે રિપેરનુ છે. મળતી જાણકારી અનુસાર રિપેયરિંગનું કામ 30 માર્ચ 2019 સુધી મંગળવાર ગુરુવાર અને શનિવારના કરવામાં આવશે. આ દિવસે સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી નહીં જોવા મળે. મુંબઇ એરપોર્ટના રનવે પર સમારકામના કારણે ઓછી ફ્લાઇટ ઉડાન ભરશે જેના કારણે ભાડું 50% સુધી વધી શકે છે. જોકે 21 માર્ચ પછી યાતાયાત પહેલા જેવું થઇ શકે છે.
6 કલાક સુધી રનવે બંધ રહેશે જેના કારણે ફ્લાઇટ ઓછી ઉડશે જેથી ભાડામાં વધારો થઇ શકે છે. મુંબઇ એરપોર્ટને સૌથી બિઝી એરપોર્ટ્સ માનવામાં આવે છે એવામાં ભાડું 15-20% જેટલો તો વધારે પહેલાથી થઇ ચૂક્યો છે.
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2 રનવે છે. આ બંને રનવે પર સમારકામ હાથ ધરાશે જેના કારણે 6 કલાકના સમયગાળા દરમિયાન રનવે પર કોઇ ફ્લાઇટ ઉડાન નહી ભરે એરપોર્ટ પર કલાકની 46 ફ્લાઇટ આવે છે જેના કારણે રોજની 276 ફ્લાઇટ પર તેની અસર પડશે.
Cox & Kingsના બિઝનેસ ટ્રાવેલના હેડે કહ્યુ કે ''મુંબઇ એરપોર્ટ પર સમારકામને કારણે તેજી આવી છે. મુંબઇ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ હોવાથી ફ્લાઇટમાં ઘટાડો થતાં તેની અસર થશે. ફ્લાઇટ ઓછી થતાં ટિકિટ ભાવમાં 15-20% વધારો થાય તેવી શક્યતા છે. આ વધારો હજુ વધે તેની શક્યતા છે.''