સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક ઊભેલા વિમાનની સામે ઊભેલું ટ્રેક્ટર ભડભડ કરતું સળગી ઉઠ્યું હતું.
મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળ્યો
ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક લાગી આગ
સળગી રહેલા ટ્રેક્ટરની સામે પ્રવાસીઓથી ભરેલી ફ્લાઈટ ઊભી હતી
સદનસીબે તાબડતોબ આગને બુઝાવી દેવાઈ
મુંબઈથી જામનગર જતી ફ્લાઈટની સામે બની દુર્ઘટના
સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને ગતિ આપવા માટે લવાયેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જેવું ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત તેમાં આગ લાગી હતી. સળગી રહેલું ટ્રેક્ટર બરાબર ફ્લાઈટની સામે જ હતું એટલે જો જરા પણ મોડું થયું હોત તો ફ્લાઈટના પ્રવાસીઓ પર તેની અસર પડેત પરંતુ વેળાસર આગ બૂઝાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટના વી ૨૬ આર સ્ટેન્ડ પર બની હતી. મુંબઈથી જામનગર જતી ફ્લાઇટને વાહને પુશબેક આપવું પડ્યું હતું. વાહનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી.
સદનસીબે આગને વેળાસર બૂઝાવી દેવાઈ નહીંતર મોટી જાનહાની થઈ હોત
આગ લાગતા જ એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવી હતી અને તાબડતોબ ટ્રેક્ટરની આગની બૂઝાવી દેવાઈ હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હતી કારણ કે જ્યારે આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 70થી 80 પ્રવાસીઓ બેઠા હતા.
#UPDATE | Mumbai airport PRO says, "The Mumbai-Jamnagar flight has 85 passengers onboard. The fire was brought under control within 10 minutes. There is no harm to any person. All operations are normal."
મુંબઈની જામનગર જતી એરઈન્ડીયાની ફ્લાઈટની સામે બની ઘટના
એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647 અહેવાલ મુજબ મુંબઈ જામનગરને પુશબેક આપતા વાહનમાં અચાનક આગ લાગી હતી. તે સમયે વિમાનમાં ૮૫ લોકો સવાર હતા. અકસ્માત સમયે એરપોર્ટ પર ગભરાટ ફેલાયો હતો. જોકે એરપોર્ટ પ્રશાસને ઝડપથી આગ બુઝાવી દીધી હતી. સદનસીબે ફ્લાઈટને કોઈ નુકશાન ન થયું. વિમાને બપોરે 12.00 વાગ્યે ઉડાન ભરી હતી.એર ઇન્ડિયાની ફ્લાઇટને પાછળ ધકેલવા માટે તેને આ ટ્રેક્ટરમાં લાવવામાં આવી હતી. આ ટ્રેક્ટર વિમાનની એકદમ નજીક ઊભું હતું. ત્યારે જ અચાનક આગ લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે ઓથોરિટીએ હજી સુધી કોઈ ફોડ પાડ્યો નથી.