ભારતીય રેલ હવે ખાનગી ટ્રેક પર ચલાવવાની રાહ પર ચાલવા લાગી છે. પ્રથમ વખત રેલવે વિભાગે પૂર્ણ રીતે ટ્રેનોના કોચનું નિર્માણ, ટ્રેક નિર્માણ માટે સાર્વજનિક ખાનગી ભાગીદારીનો પ્રસ્તાવ બજેટમાં રજૂ કર્યો છે. તીવ્ર વિકાસ સુનિશ્ચિત કરવાનું જણાવામાં આવ્યું છે.
રેલવે તંત્રનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઠીક કરવા માટે સરકાર દ્વારા 2030 સુધીમાં 50 લાખ કરોડ રૂપિયાના રોકાણનું અનુમાન લગાવામાં આવ્યું છે. બજેટમાં 2022 સુધી ડેડીકેટેટ ફ્રેટ કોરિડોર નિર્માણ પૂરો કરવાનું લક્ષ્યાંક છે. આ કોરિડોર તૈયાર થયા બાદ રેલ યાત્રીઓ માટે ચાલનારી ટ્રેન ઝડપથી દોડશે કારણ કે માલગાડી ડેડીકેટેડ ફ્રેટ કોરીડર પર ચાલશે.