જ્યાં સ્વાગત માટે પહોંચેલા આદિત્ય ઠાકરેને ગાડીમાંથી નીચે ઉતારી દીધા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં સામેલ એસપીજી કર્મીઓએ કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કારમાંથી નીચે ઉતારી દીધા હતા. ઉદ્ધવ ઠાકરે તેમના દિકરા અને મંત્રી આદિત્ય ઠાકરે સાથે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે કોલાબામાં નૌસેનાના હેલીપોર્ટ આઈએનએસ શિકરા આવ્યા હતા.
आज मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांनी आयएनएस शिक्रा, मुंबई येथे पंतप्रधान @narendramodi यांचे स्वागत केले. यावेळी उपस्थित राहण्याचा मान मला मिळाला. pic.twitter.com/Ioj6Y75r05
આપને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે રાજભવનમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે પુણેથી મુંબઈ આવ્યા હતા. અહીં પીએમની આગેવાની માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને સીએમ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ,એસપીજીએ જણાવ્યું હતું ેક, આઈએનએસ શિખર બેસ પર પીએમ મોદીની આગેવાની કરતી વીઆઈપી યાદીમાં આદિત્યનું નામ નહોતું. ત્યાર બાદ આદિત્યને સીએમની કારમાંથી નીચે ઉતરી જવા કહ્યું હતું.
ઉદ્ધવે આપી સફાઈ, પ્રોટોકોલ મંત્રીના કારણે આવ્યા હતા આદિત્ય
એસપીજીના આ પ્રકારના વ્યવહાર બાદ સીએમ ઉદ્ધવ ઠાકરે ખૂબ જ પરેશાન થઈ ગયા હતા, તેમણે તર્ક આપ્યો હતો કે, આદિત્ય ફક્ત તેમના દિકરા તરીકે નહીં, પણ પ્રોટોકોલ મંત્રી અંતર્ગત આગેવાની કરવા આવ્યા હતા. બાદમાં સીએમ ઉદ્ધવે ભારે નારાજગી સાથે આદિત્ય ઠાકારેને પીએમના સ્વાગત માટે પરવાનગી આપી દીધી હતી.