મુંબઈની ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી. મુંબઈના બાંદ્રામાં આવેલી ઝુપડપટ્ટીમાં કોઈ કારણોસર આગ લાગતા સ્થાનિકોનો જીવ પડીકે બંધાયો હતો.
થોડીવાર માટે અહીં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઝૂપડપટ્ટીમાં આગ લાગતા ઝૂપડપટ્ટીના અનેક મકાનો આગની લપેટમાં આવ્યા હતા.
આગ એટલી વિકરાળ હતી કે લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બાદમાં આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના 9 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી. પણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હોવાની વાત હાલ લોકમુખે ચર્ચાઈ રહી છે.