દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાવાયરસના 2 લાખ 66 હજારથી વધુ કેસ છે, ત્યારે 7400 થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 90 હજારને વટાવી ગઈ છે. જ્યારે મુંબઈએ 51000 કેસ સાથે ચીનના વુહાનને પાછળ છોડી દીધું જ્યાંથી ગત વર્ષના ડિસેમ્બરથી આ કોરોના ફેલાયો હતો. વુહાનમાં ચેપગ્રસ્ત કોરોની સંખ્યા 50,333 છે. ત્યારે દેશના સૌથી મોટા કોરોના હોટસ્પોટ મહારાષ્ટ્ર પણ ચીનના 84000 કેસથી આગળ નીકળી ગયું છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો હાહાકાર
મુંબઈના કોરોનાના આંકડા 51000ને પાર
મુંબઈએ ચીનના વુહાનને પણ પાછળ છોડી દીધું
મહારાષ્ટ્રમાં મંગળવારે 2259 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં આજે કોરોના ચેપને કારણે 120 લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડાઓ સાથે, રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 90 હજાર 787 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 3289 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ પણ કોરોનાથી પીડિત છે. અહીં કોરોના વાયરસથી 51 હજાર 100 થી વધુ લોકોને ચેપ લાગ્યો છે.
હાલમાં મુંબઈમાં કોરોના કેસની સંખ્યા 51 હજાર છે. શહેરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1760 લોકોનાં મોત નીપજ્યાં છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. દરમિયાન, દેશમાં કોરોના કેસની ગતિ અટકી રહી નથી. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 2 લાખ 66 હજારને વટાવી ગઈ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ગુજરાત કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ 17 હજારને વટાવી ગયા છે, જ્યારે તમિળનાડુમાં અત્યાર સુધીમાં 33 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આ છે હાલ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 470 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 21,044 થઇ છે. અમદાવાદમાં સૌથી વધુ 331 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 62 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 409 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 14,373 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1313 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.