મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ તરફથી 200 કરોડ રૂપિયા, ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ (એસઆરએ) અને મહારાષ્ટ્ર આશ્રય નિધિથી ત્રણ-ત્રણ સો કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રકમ ધારાવી પુનર્વિકાસને માટે સ્થાપિત થનારી વિશેષ કંપનીને બાદમાં પરત આપવામાં આવશે.
મુંબઇઃ એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર કહેવાતો ધારાવી કે જેનાં પુનર્વિકાસ માટે રેલ્વેનાં સ્વામિત્વવાળી 46 એકર ભૂમિનાં અધિગ્રહણ માટે રાજ્યની ત્રણ સંસ્થાઓ મળીને આઠ સો કરોડ રૂપિયા આપશે. જેમાં મહારાષ્ટ્ર આવાસ અને ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ (મ્હાડા) તરફથી 200 કરોડ રૂપિયા, ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ (એસઆરએ) અને મહારાષ્ટ્ર આશ્રય નિધિથી ત્રણ-ત્રણ સો કરોડ આપવામાં આવશે. આ રકમ ધારાવી પુનર્વિકાસ માટે સ્થાપિત થનારી વિશેષ કંપનીને બાદમાં પરત આપવાનાં રહેશે.
રાજ્ય સરકારની ધારાવી પુનર્વિકાસ પરિયોજના (ડીઆરપી)નાં સેક્ટર એકથી પાંચ સુધીનાં એકીકૃત વિકાસ માટે નવેમ્બરમાં એક વિશેષ ઉદ્દેશ્ય કંપની સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. ધારાવી અધિસૂચિત ક્ષેત્રથી સત્તા રેલ્વેની સ્વામિત્વવાળી 46 એકર જમીન છે. આ જમીન ડીઆરપીમાં શામેલ કરવાને લઇને રાજ્ય સરકાર અને રેલ્વે મંત્રાલયે સહમતિ દર્શાવી હતી. આ ભૂમિનાં અધિગ્રહણ માટે 800 કરોડ રૂપિયા રેલ્વેને આપવાનાં છે.
પહેલા સરકારે આ રકમ મ્હાડાને આપવા માટેનો આદેશ કર્યો હતો પરંતુ મ્હાડાનાં કર્મચારીઓએ આની પર આપત્તિ વ્યક્ત કરી હતી. જેને જોતા સરકારે પોતાનો આદેશ પરત લેવો પડ્યો. હવે આ ભૂમિને અધિગ્રહણ કરવા માટે સરકાર તરફથી આ નવો આદેશ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મ્હાડાને બસો કરોડ રૂપિયા આપવા માટેનું કહેવામાં આવ્યું.