નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા પર આતંકના ઓછાયાને ધ્યાને રાખતા સુરક્ષાને લઈને ગૃહમંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અમરનાથ યાત્રાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. ગૃહમંત્રાલયના નિર્ણય પ્રમાણે અમરનાથ યાત્રાનમાં તૈનાત કરવામાં આવનાર સુરક્ષાદળોની કંપનીઓમાં વધારો કરવામાં આવશે.
અંદાજીત 30થી 40 જેટલી કંપનીઓને યાત્રાના માર્ગ પર તૈનાત કરવામાં આવશે. જેમાં જમ્મૂ-કશ્મીર પોલીસ CRPF BSF ITBP SSB IB સહિતની સુરક્ષા એજન્સીઓનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે યાત્રીકોની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સથી તમામ બસો પર બાજ નજર રાખવામાં આવશે. તમામ બસોની આગળ અને પાછળ એસ્કાર્ટની ટીમો ચાલશે. તો ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી શકે છે.
અમરનાથ યાત્રા પર જનારા તમામ યાત્રીકો માટે રજીસ્ટ્રેશન ફરજીયાત હશે. આ સાથે યાત્રામાં સામેલ તમામ વાહનોના પાર્કિંગને લઈને પણ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેથી કરીને નાપાક આતંકીઓ કોઈ ઘટનાને અંજામ ન આપી શકે.