કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા સ્ટેરોઇડથી અત્યાર સુધી બ્લેક ફંગસના કેસો સામે આવ્યા હતા, પણ હવે તેના કારણે વધુ એક બીમારી થાય છે તેવી વાત સામે આવી છે.
લીવરમાં મોટા મોટા ફોડલા પડી રહ્યા છે
ડૉક્ટર અનિલ અરોરાએ કહી આ વાત
33 ટકા લોકોને થઇ રહી છે અલગ અલગ બીમારીઓ
લીવરમાં મોટા મોટા ફોડલા પડી રહ્યા છે
કોરોના વાયરસના દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા સ્ટેરોઇડથી અત્યાર સુધી બ્લેક ફંગસના કેસો સામે આવ્યા હતા, પણ હવે તેના કારણે વધુ એક બીમારી થાય છે તેવી વાત સામે આવી છે. વધુ પડતાં સ્ટેરોઇડના કારણે કોરોનાની સારવાર લઈ ચૂકેલા લોકોના લીવરમાં મોટા મોટા ફોડલા પડી રહ્યા છે. અ વાતની જાણકારી ડોક્ટર્સ દ્વારા આપવામાં આવી હતી. લીવરમાં ફોડલા થાય છે અને પરુ પણ જમા થાય છે જે દુષીત પાણી અને ભોજન દ્વારા ફેલાય છે.
ડૉક્ટર અનિલ અરોરાએ કહી આ વાત
નવી દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉક્ટર અનિલ અરોરાના કહ્યા મુજબ "જે એક સામન્ય બાબત લાગી રહી છે તે હવે અસામાન્ય સાબિત થઈ રહી છે. આ કેસમાં એવા દર્દીઓ કે જે 22 દિવસ બાદ પણ બીમાર જેવુ અનુભવતા હતા તેવા દર્દીઓના લીવરના મોટા ભાગમાં કેટલીય જગ્યા પર પરુ જમા થઈ રહયું હતું. જેની સારવાર કરવા માટે તેવા દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.
33 ટકા લોકોને થઇ રહી છે અલગ અલગ બીમારીઓ
અત્યાર સુધીમાં આવી બીમારી અને લક્ષણો સાથેના ઘણા બધા દર્દીઓ સામે આવ્યા છે. સાથે જ કોરોના માંથી સ્વસ્થ થયા બાદ આ બધા જ દર્દીઓને બીજા પ્રકારની બીમારીઓ પણ થઈ રહી છે. આ ડોક્ટરે જણાવ્યું કે કોરોનાથી સારવાર લીધા બાદ દર્દીઓને ન્યૂરો સંબંધી બીમારીઓ પણ થાય છે. એક રિપોર્ટ મુજબ કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ 33 ટકા લોકોને ન્યુરૉસાયક્રેટિકની મુશ્કેલીઓ થઈ રહી છે. જેમાં સ્વાદ ન આવવો, સુગંધ ન આવવી, ભ્રમ, કામમાં ધ્યાન ન લાગવું, જેવી ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. સાથે જ બીજા દર્દીઓમાં બીજી ઘણી તકલીફો જોવા મળી હતી. જેમાં સારવાર લીધા બાદ 20-30 દિવસ બાદ પેટમાં દુખાવો અને મળ સાથે લોહી નીકળવાના બનાવો પણ બન્યા હતા.