મુલાયમ સિંહ યાદવનું સૈફઈની પરંપરા મુજબ તેરમુ નહી થાય, 11માં દિવસે જ શુદ્ધિકરણ હવન કરાશે
નેતાજીનું તેરમું નહી કરાય
11માં દિવસે જ શુદ્ધિકરણ હવન કરવામાં આવશે
પહેલી વાર લાગ્યું કે સૂરજ વગર સવાર થઈ-અખિલેશ
મુલાયમ સિંહ યાદવે સોમવારે ગુરુગ્રામની મોદંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહના મૃતદેહને હોસ્પિટલથી વતન સૈફઈ લાવવામાં આવ્યો હતો. સપાના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું મંગળવારે અવસાન થયું હતું. વિવધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના વતન સૈફઈ પહોંચ્યા છે. મુલાયમ સિંહ યાદવના મોટા પુત્ર અખિલેશ યાદવે અગ્નિવીધી કરી હતી. અખિલેશે યાદવે અગ્નિદાહ આપતી વખતે સમાજવાદી પાર્ટીની ટોપી પહેરી હતી. અખિલેશ યાદવે પરિવાર સાથે તેઓએ મુંડન પણ કરાવ્યું હતું.
નેતાજીનું તેરમું નહી થાય
સૈફઈની પરંપરા મુજબ મુલાયમ સિંહ યાદવનું તેરમુ નહી કરવામાં આવે. સૈફઈના લોકો માને છે કે, કોઈ મોટા વ્યક્તિના મૃત્યુ પછી તેરમું કરવામાં આયોજન કરાય તો તેની અસર ગરીબો પર પડે છે. ગ્રામ લોકો માને છે કે અમીર લોકો પાછળ તેરમું કરવામાં આવે તો તે જોઈ ગરીબને પણ તેરમું કરવું પડે અને તેનાથી ગરીબો પર આર્થિક બોજ પડે છે માટે તમામ રીતિ રીવાજ મુજબ તમામ વિધી કરાશે જેમા 11માં દિવસે જ શુદ્ધિકરણ હવન કરવામાં આવશે.
અખિલેશ યાદવ ખૂબ જ દુ:ખી છે
અખિલેશ યાદવ ખૂબ જ દુ:ખી છે અને તે વારંવાર તેમના પિતા મુલાયમસિંહને યાદવને યાદ કરતા નજરે ચડે છે. અખિલેશ યાદવે ટ્વીટર પર ટ્વીટ કરી પોસ્ટમાં લખ્યું છે કે, પહેલી વાર આજ પહેલી વાર લાગ્યું કે સૂરજ વગર સવાર થઈ...
નેતાજીને શ્રદ્ધાજંલિ આપવા પહોંચ્યા લાખો લોકો
મુલાયમ સિંહ યાદવની ગણના જમીનથી જોડાયેલા નેતાઓમાં થતી હતી. તેમેણે હંમેશા ગરીબોના ભલા માટે રાજનીતિ કરી છે તેવુ પણ માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશના ત્રણ વાર મુખ્યમંત્રીનો પદ શોભાવ્યો છે. એવું કહેવાય છે તે મુલાયમ સિંહ યાદવ તમામ વર્ગને સાથે લઈ ચાલનારા નેતા હતા તેના માટે જ યુવા અને વૃદ્ધ સૌ કોઈ લોકો નેતાજીના નામથી બોલવતા હતા. તેમની લોક ચાહનના દર્શન તેમની અંતીમ યાત્રામાં જોડાયેલા લોકોમાં દેખાઈ હતી. તેમને લાખોની સંખ્યામાં શ્રદ્ધાજંલિ આપવા લોકો પહોંચ્યા હતા.
સમાજવાદીના સંસ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું મૃત્યું સોમવારે મેદાંતા હોસ્પિટલમાં થયું હતું તેમની ઉંમર 82 વર્ષની હતી. નેતાજીના પાર્થિવ દેહને ગુરૂગ્રામથી તેમના વતન સૈફઈમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યા લાખોની સંખ્યામાં કાર્યકર્તા અને જનતા તેમજ દિગ્ગજો અંતિમ સંસ્કારની વિધીમાં જોડાયા હતા