સમાજવાદી પાર્ટીના વડા નેતા મુલાયમસિંહ યાદવની હાલત હજી પણ નાજુક છે. છેલ્લા 6 દિવસથી તેની હાલતમાં કોઈ સુધારો થયો નથી. મુલાયમ હજુ પણ વેન્ટિલેટર પર છે.
મુલાયમસિંહ યાદવની હાલત હજી પણ નાજુક
સારા સ્વાસ્થ્ય માટે લોકો કરી રહ્યા છે પ્રાર્થના
અન્ય પક્ષના નેતાઓએ પણ સ્વાસ્થ્યની જાણકારી લીધી
સમાજવાદી પાર્ટીના વડા નેતા મુલાયમસિંહ યાદવની હાલત હજી પણ નાજુક છે. છેલ્લા 6 દિવસથી તેની હાલતમાં કોઈ સુધારો થયો નથી. મુલાયમ હજુ પણ વેન્ટિલેટર પર છે. ગુરૂવારે મેદાતા હોસ્પિટલ તરફથી હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "મુલાયમ સિંહની હાલત હજુ પણ નાજુક છે. તેમને લાઈફ સેવિંગ દવાઓ આપવામાં આવી રહી છે. સાથે જ નેતાજીના સારા સ્વાસ્થ્ય માટે પૂજા અને પ્રાર્થનાનો પણ ચાલુ જ છે.
અન્ય પક્ષના નેતાઓએ પણ તબિયતની જાણકારી લીધી
જનતા દળના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવ પણ આજે મેદાંતા પહોંચ્યા હતા અને મુલાયમ સિંહની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા બાદ આખરે તેમણે અખિલેશને પિતા મુલાયમની તબિયત અંગે પૂછપરછ કરી હતી. મુલાયમની નાદુરસ્ત તબિયતના કારણે અખિલેશ, ડિમ્પલ અને શિવપાલ યાદવ છેલ્લા 6 દિવસથી દિલ્હીમાં છે. મુલાયમની તબિયત જાણવા માટે અન્ય પક્ષોના નેતાઓ સતત મેદાંતા પહોંચી રહ્યા છે.
શરદ, લાલુ, તેજસ્વીએ પણ મુલાયમની હાલત પૂછી
બુધવારે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ પોતાના પુત્ર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મેદાંતા પહોંચ્યા હતા અને તેમની હાલત જાણી હતી. આ પહેલા હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે મેદાંતામાં અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. તેમણે ડોક્ટરો સાથે મુલાકાત કરી મુલાયમસિંહની તબિયત અંગે પૂછપરછ કરી હતી. મુલાયમની તબિયત પર મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે તેમની હાલત પહેલાથી જ ગંભીર છે. અત્યારે કંઈ પણ કહેવું યોગ્ય નથી.
ભાવુક થયા કાર્યકરો
ઘણા કાર્યકરો અખિલેશ યાદવને મળવા પહોચ્યા ત્યારે મુલાયમસિંહની તબિયતને લઈને ભાવુક થઇ ગયા હતા અને અખીલેશ સામે રડવા લાગ્યા હતા.
Emotions and connect with Netaji; check how SP worker cried in front of @yadavakhilesh, enquiring about Mulayam Singh Yadav's health. pic.twitter.com/NPY8F3Rvtq
મુલાયમ 2 વર્ષથી બીમાર છે
સપાના સંરક્ષક મુલાયમસિંહ યાદવ છેલ્લા બે વર્ષથી બીમાર છે. જ્યારે સમસ્યા વધે છે ત્યારે તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અગાઉ પણ તેમને મેદાંતા હોસ્પિટલમાં અનેક વખત દાખલ કરવામાં આવ્યા છે. જુલાઈ 2021 માં તેમને મેદાંતા હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર તેની હાલત ગંભીર છે. ડોક્ટરો સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
સપાના કાર્યકર્તાઓએ મંદિરોમાં પૂજા-અર્ચના કરી
મુલાયમની તબિયત લથડી ત્યારથી યુપીના અલગ અલગ શહેરોમાં સપાના કાર્યકર્તાઓ હવન-પૂજન કરીને નેતાજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. સપાના કાર્યકર્તાઓ પોતાના નેતા માટે મહા-મૃત્યુંજય જાપ પણ કરી રહ્યા છે. મુલાયમના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.
તેમની પત્નીનું ત્રણ મહિના પહેલા નિધન થયું હતું.
મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું 9 જુલાઈના રોજ કોરોનાને કારણે નિધન થયું હતું. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સાધના ગુપ્તા લાંબા સમયથી બીમાર હતી. ફેફસાના ચેપની ફરિયાદ બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પત્નીના મૃત્યુ બાદ મુલાયમની તબિયત પણ સતત કથળી રહી છે. હાલ તેમની હાલત ગંભીર છે.