સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવને સંજય ગાંધી પીજીઆઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યાં ડોક્ટરોએ તેમના મગજ સંબંધિત કેટલીક તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમયગાળા પહેલા તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું
PGI ના ડોક્ટર પ્રો અમિત અગ્રવાલે જણાવ્યું કે, દાખલ થયા બાદ મુલાયમ સિંહ યાદવનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેઓએ અશક્તિની પણ ફરિયાદ કરી હતી.
જો કે, આ મામલે ડોક્ટરની એક ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા તેમના શરીરમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોવાનું જણાઇ આવ્યું હતું. આ સાથે જ તેમને થોડા સમયગાળામાં ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવશે.