રાજકોટ વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણ મંદિરના સંત મુકુંદ સ્વામી પર મહિલાઓએ આક્ષેપ કર્યા છે. સ્વામીએ ફેસબુક મારફત મહિલાઓને વીડિયો કોલ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટના સ્વામિનારાયણ મંદિરના સંત આવ્યા વિવાદમાં
મુકુંદ સ્વામી પર મહિલાઓનો આક્ષેપ
મુકુંદ સ્વામીએ મહિલાઓને કર્યા મેસેજ
મહિલાઓએ સંત મુકુંદ સ્વામીએ કરેલા વીડિયો કોલના સ્ક્રીન શોટ જાહેર કર્યા છે. નોંધનીય છે કે, રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં મહિલાઓએ હોબાળો કરીને વિરોધ નોંધાવ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તક આવે છે. અજેન્દ્ર પ્રસાદ ગ્રુપની મહિલાઓએ હોબાળો કરીને વિરોધ કર્યો છે.
મહિલાઓએ કર્યો હોબાળો
રાકેશ પ્રસાદની ગાદી હોવાથી મહિલાઓએ શાકોત્સવ દરમિયાન હોબાળો કરીને વિરોધ નોંધાવ્યો છે. સ્વામી ફેસબૂક પર વીડિયો કોલ કરતા હોવાના પણ મહિલાઓએ આરોપ લાગાવ્યો છે અને સાથે જ ખોટા સ્વામી ન જોઇએ ના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. તો પોલસની મધ્યસ્થી બાદ મામલો થાડે પડ્યો છે.
રાધારમણ સ્વામીએ આપ્યું નિવેદન
નોંધનીય છે કે, આ મામલે ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના રાધારમણ સ્વામીએ આ વિવાદ બાદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અહીં કોઈ મુકુંદસ્વામી નથી. આજે અમુક મહિલાઓ આવી હતી. બાકી કોઈ વિવાદ થયો નથી. આ સાથે જ વડતાલના પણ શ્યામ સ્વામીએ કહ્યું હતું કે, વડતાલમાં આવા કોઈ સ્વામી નથી અને અમારે આ નામના સ્વામી સાથે કોઈ કનેકશન નથી