ભારતમાં જેટલા પણ તીર્થસ્થાન આવેલા છે જેનું ખાસ મહત્વ રહેલું છે. આ તીર્થ સ્થાનોમાં કેટલાય ચમત્કાર પણ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આજે અમે આપને એવા તીર્થ સ્થાનની વાત કરવાના છીએ જ્યાં પહાડ પર કેસર અને ચંદનની વરસાદ થાય છે. આ અદભૂત દ્રશ્ય જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. દૂનિયાભરના પ્રવાસીઓ આ સ્થળે ફરવા માટે આવે છે. આ સ્થળને મુક્તાગિરીના નામથી ઓળખવામાં આવે છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ માલવા ક્ષેત્રમાં મુક્તાગિરી નામની પવિત્ર જગ્યા આવેલી છે. જે દિગંબર જૈન મુનિઓનું સિદ્ધ ક્ષેત્ર છે. આ એક એવું સ્થળ છે જ્યાં હિંદુ કેલેન્ડર પ્રમાણે દરેક સપ્તમી અને ચૌદશના રોજ ચંદન અને કેસરનો વરસાદ થાય છે. આ સ્થળે દિગંબર જૈન સંપ્રદાયના કુલ 52 મંદિરો આવેલા છે.
ઉલ્લેખનીય છે કે આ સ્થળે ભગવાન પાશ્વનાથની સપ્તફણિક પ્રતિમાં સ્થાપીત છે. જે શિલ્પકલાનો બેનમૂન નમૂનો છે. આ ક્ષેત્રમાં સ્થિત માનસ્તંભ મનને શાંતિ અને સુખ પ્રદાન કરનારી છે.
પૌરાણિક કથા અનુસાર..
લોકમાન્યતા અનુસાર 1000 વર્ષ પહેલા મુનિરાજ ધ્યાનમાં મગ્ન હતા અને સામે એક દેડકો પહાડ પરથી નીચે પડ્યો. આ મુનિરાજે દેડકાના કાનમાં ‘નમોકાર’ મંત્રનું ઉચ્ચારણ કર્યું અને તરત જ દેડકાને મોક્ષની પ્રાપ્તિ થઈ અને તે દેવ સ્વરુપ પામ્યો. દેડકાને હિંદીમાં મેંઢક કહે છે જેથી આ પર્વતનું બીજુ નામ મેંઢાગિરી છે. આ ઘટના અનુસાર દરેક આઠમ અને ચૌદશના રોજ આ પહાડ પર કેસર અને ચંદનનો વરસાદ થાય છે.
પહાડ પર આવેલ છે આ મંદિર
આપને જણાવી દઇએ કે આ ક્ષેત્ર પહાડ પર સ્થિત છે અને જ્યાં પહાડ પર 52 મંદિર બનેલા છે. આ સાથે જ પહાડની તળેટીમાં અન્ય 2 મંદિર આવેલા છે. આ તીર્થ સ્થાનના અદભૂત નજારાને જોવા માટે દેશભરમાંથી લોકો આવે છે.