ગુજરાત સરકારે ‘વિક્ટિમ કોમ્પેન્શેસન સ્કીમ’નો ‘મા વાત્સલ્ય’ અને ‘મા’કાર્ડમાં સમાવેશ કર્યો છે, જેમાં તાજેતરમાં એક પરિપત્ર-આદેશ દ્વારા બળાત્કાર, આગ અને એસિડ હુમલાથી અસરગ્રસ્તને સારવાર હેઠળ સમાવી લેવામાં આવશે.
‘વિક્ટિમ કોમ્પેન્શેસન યોજના’નો પણ સમાવેશ કરાયો છે, જેમાં તાજેતરમાં સુરતની બનેલી ઘટનામાં આગ લાગવાથી અનેક વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં તેવી કોઇ આગની ઘટનામાં પણ સારવારનો લાભ આ યોજના હેઠળ મળી શકશે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ પરિપત્ર તાજેતરમાં જ જાહેર કરાયો છે, જેમાં બળાત્કાર, સામૂહિક બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શરીરનો કોઇ અવયવ ગુમાવવો, શારીરિક કે માનસિક ઇજા, જાતીય હુમલાથી ગર્ભાશય ગુમાવવું, એસિડ હુમલાનો શિકાર સહિતના તમામ પ્રકારના ઉપરોક્ત સારવાર માટે આ અસરગ્રસ્તોને ‘મા વાત્સલ્ય’ અને ‘મા’ યોજનાનો લાભ મળશે.