બોલીવૂડ એક્ટર મુકેશ ખન્નાએ રાજ કુન્દ્રા પર નિવેદન આપ્યું છે અને શિલ્પા વિશે પણ ખાસ વાત કહી છે.
મુકેશ ખન્નાાએ આપ્યું નિવેદન
રાજ કુન્દ્રાના કેસ પર આપ્યુ નિવેદન
શિલ્પાને 120% ખબર હોવી જ જોઇએ
મુકેશ ખન્ના મોટા મુદ્દા પર પોતાની વાત નિડરતાથી રાખે છે અને થોડા સમય પહેલા કેરી મિનાટીની વ્હારે પણ તે આવ્યા હતા. હવે રાજ કુન્દ્રા કેસમાં પણ પોતાનો ઓપિનીયન આપ્યો છે. મુકેશે કહ્યું કે, તેને નથી ખબર કે શિલ્પા અને રાજ આ કેસમાં આરોપી છે કે નહી પરંતુ શિલ્પાને રાજની પત્ની હોવાના કારણે 120% દરેક વાતની જાણ હોવી જ જોઇએ.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, પબ્લિક તો પબ્લિક હોય છે. તે માત્ર એટલું જ જાણે છે જેટલુ ન્યૂઝ ચેનલ બતાવે છે હા, હું તે વાતથી ખુશ છુ કે પોલ ખુલી તો ખરી. રાજ કુન્દ્રા આરોપી છે કે નહી તે મને ખબર નથી પરંતુ હવે જ્યારે મામલો સામે આવી જ ગયો છે ત્યારે કેસ સોલ્વ થઇ જ જવો જોઇએ.
સત્ય શું છે?
મુકેશ ખન્નાએ કહ્યું કે, જ્યારે ન્યૂઝમાં કોઇ સમાચાર આવે છે ત્યારે લાગે છે કે સૌથી મોટો આરોપી આ જ છે પરંતુ સત્ય શું છે તે કોઇ જાણતું નથી. તેમણે સુશાંતનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેનો જ કેસ જોઇ લો. શિલ્પા શેટ્ટીની ભૂમિકા વિશે કહ્યું કે તેમનો કોઇ હક નથી કે તે પતિ-પત્ની વચ્ચે કંઇ પણ બોલે પરંતુ એક્ટ્રેસ તરીકે નહી પત્ની હોવાના કારણે દરેક વાતની ખબર હોવી જોઇએ.
શિલ્પાને 120% ખબર હોવી જોઇએ
મુકેશ ખન્નાએ કહ્યું કે, પહેલાના સમયમાં પતિ-પત્ની વચ્ચે એટલી વાતો નહોતી થતી પરંતુ આજે દરેક પત્ની પોતાના પતિ વિશે ઘણુ બધુ જાણતી હોય છે. જેથી શિલ્પાને પણ ખબર હોવી જ જોઇએ કે તેનો પતિ શું કરે છે અને શું નહી.