શક્તિમાન એટલે કે મુકેશ ખન્ના ફરી એક મુદ્દે ગુસ્સે થઇ ગયા છે. તેમણે સોશ્યલ મીડિયા પર વીડિયો શૅર કરીને બીફ ખાનારા લોકો પર ગુસ્સો બતાવ્યો છે.
મુકેેશ ખન્ના બીફ ખાતા લોકો પર થયા ગુસ્સે
સમાજને ગાય બચાવવા માટે કરી હાકલ
ઇન્સ્ટાગ્રામ પર લખી લાંબી પોસ્ટ
મુકેશ ખન્ના થયા ગુસ્સે
ગાય માતાને કાપીને ખાનારા લોકો પર ભડકેલા મુકેશ ખન્નાએ એક લાંબી નોટ પણ લખી છે. તેમણે લખ્યું કે, ગાય આપણી માતા છે, શું આપણે કલ્કિ અવતારની રાહ જોઇ રહ્યાં છીએ? કલ્કી આવીને ગાય માતાને બચાવશે? આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
..તો તમે રાહ જુઓ છો?
મુકેશ ખન્નાએ આગળ કહ્યું કે, જ્યારે ઘરની માતા-બહેન સંકટમાં હોય છે ત્યારે તમે રાહ જુઓ છો કે હવે પોલીસ કે મિલિટ્રી આવશે પછી તેમને બચાવશે? જો તમે તેના માટે રાહ નથી જોતા તો પછી ગાય આપણી માતા છે, આ કહેવાની જરૂર કેમ પડી રહી છે?
ખુલ્લેઆમ કેમ ખવાય છે ગાય?
મુકેશ ખન્નાએ આગળ કહ્યું કે, કેમ ખુલ્લેઆમ ગાય ખાવામાં આવે છે, ગાય કપાય છે અને એક્સપોર્ટ થાય છે. કેટલાક લોકો બહારના દેશમાંથી ગાય ખાઇને આવે છે પછી તેમને આદત પડી જાય છે. આવા લોકો બોલે છે કે ગાયનું માસ સારું છે. શરમ આવવી જોઇએ તમને. કેટલાક લોકો પૈસા માટે આ પ્રકારનું કામ કરે છે.
મુકેશ ખન્ના મોટા મુદ્દા પર પોતાની વાત નિડરતાથી રાખે છે અને થોડા સમય પહેલા કેરી મિનાટીની વ્હારે પણ તે આવ્યા હતા. હવે રાજ કુન્દ્રા કેસમાં પણ પોતાનો ઓપિનીયન આપ્યો છે. મુકેશે કહ્યું કે, તેને નથી ખબર કે શિલ્પા અને રાજ આ કેસમાં આરોપી છે કે નહી પરંતુ શિલ્પાને રાજની પત્ની હોવાના કારણે 120% દરેક વાતની જાણ હોવી જ જોઇએ.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, પબ્લિક તો પબ્લિક હોય છે. તે માત્ર એટલું જ જાણે છે જેટલુ ન્યૂઝ ચેનલ બતાવે છે હા, હું તે વાતથી ખુશ છુ કે પોલ ખુલી તો ખરી. રાજ કુન્દ્રા આરોપી છે કે નહી તે મને ખબર નથી પરંતુ હવે જ્યારે મામલો સામે આવી જ ગયો છે ત્યારે કેસ સોલ્વ થઇ જ જવો જોઇએ.