મુકેશ અંબાણીના ત્રણેય બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી પોતાની લાવિશ લાઈફસ્ટાઈને લઈને ચર્ચામાં રહે છે.
રિલાયન્સમાં ખૂબ મહત્વના પદ પર છે મુકેશ અંબાણીના ત્રણેય બાળકો
જાણો કોને કયા પદની સોંપવામાં આવી છે જવાબદારી
કોણે કેટલો કર્યો છે અભ્યાસ
મુકેશ અંબાણીના ત્રણેય બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી પોતાની લાવિશ લાઈફસ્ટાઈના કારણે ચર્ચામાં રહે છે. સાથે જ દેશના સૌથી અમીર વ્યક્તિના બાળકો પર કંપની સાથે જોડાયેલી અમુક જવાબદારીઓ પણ છે.
જણાવી દઈએ કે વર્ષ 2002માં જ્યારે ધીરૂભાઈ અંબાણીનું નિધન થયું હતું ત્યારે બિઝનેસની કોઈ વહેચણી ન હતી થઈ. જોકે બાદમાં બન્ને દિકરાઓ મુકેશ અને અનિલમાં વ્યાપાર અને ભાગીદારીને લઈને ખૂબ વિવાદ પણ થયો હતો. વહેચણી બાદ મુકેશ અંબાણીના ભાગમાં ઓઈલ અને કેમિકલ સાથે જોડાયેલા બિઝનેસ આવ્યા જ્યારે અનિલ અંબાણીને વિજળી અને ટેલિકોમ ઈન્ડસ્ટ્રી મળી. હાલની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ પોતાના ત્રણેય બાળકોના રોલ અને જવાબદારીઓ પહેલાથી જ નક્કી કરી લીધી છે.
ઈશા અંબાણી
વર્ષ 1991માં જન્મેલી ઈશા, મુકેશ અને નીતા અંબાણીનું પહેલું સંતાન છે. તેણે સ્ટેનફોર્ડ યુનિર્વસિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું છે. ત્યાં જ યેલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં બેચલર્સનો અભ્યાસ કર્યો છે.
એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં તેમના પરિવારે ટેલિકોમ અને રીટેલ બિઝનેસમાં પગ મુક્યો હતો અને ડાયરેક્ટર તરીકે શરૂઆત કરી. રિપોર્ટ અનુસાર તે રિલાયન્સ ફાઉન્ડેશનમાં એડિશનલ ડાયરેક્ટર પણ છે. પાછલા બે વર્ષમાં ઈશાની ભૂમિકા અને જવાબદારી વધારે વધી ગઈ છે. તે ફેશન પોર્ટલ આજીઓ અને ઈ-કોમર્સ વેંચર જીયો માર્ટને પણ સંભાળે છે. અમુક સમય પહેલા જ તેમણે રિલાયન્સ આર્ટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.
આકાશ અંબાણી
અંબાણી પરિવારના મોટા દિકરા આકાશ અને ઈશા જુડવા છે. તે રિલાયન્સ જીયોના ડાયરેક્ટર, સ્ટ્રેટજી હેડ અને એક્ઝિક્યુટિવ કમીટી મેમ્બર છે. તે ઉપરાંત આકાશ જીયોની ગવર્નિંગ અને ઓપરેટિંગ બોડીનો પણ ભાગ છે. સાથે જ તે મુંબઈ ઈન્ડિયન્સ અને ઈન્ડિયન સુપર લીગના કાર્યોની દેખરેખ પણ તે જ કરે છે.
જણાવી દઈએ કે આકાશે પોતાની સ્કૂલિંગ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનસ સ્કૂલથી કરી છે. તે ઉપરાંત તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી છે.
અનંત અંબાણી
10 એપ્રિલ 1995એ જન્મેલા અંબાણીના નાના દિકરા અનંત પાછલા અમુક દિવસથી ચર્ચામાં છે. હકીકતે હાલમાં જ તેમને ખૂબ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 'યાહૂ ફાઈનાન્સ'ના રિપોર્ટ અનુસાર અનંતને રિલાયન્સની ગ્રીન એનર્જી કંપનીઓના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ પહેલા તે જીયો પ્લેટફોર્મ્સના બોર્ડમાં એડિશનલ ડાયરેક્ટરની રીતે કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને કંપનીના ઓઈલ ટૂ કેમિકલ બિઝનેસના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે અનંતે પણ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.