સુપ્રીમ કોર્ટે મંગળવારે અંબાણી ભાઇઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પાસેથી Z+ સિક્યોરિટી પરત લેવાની અરજી નામંજૂર કરી દીધી છે. સુપ્રીમે બોમ્બે હાઇકોર્ટની ટીપ્પણીને સમર્થન કર્યું છે કે ઉચ્ચસ્તરીય સુરક્ષા તેમને આપવી જોઇએ જેમના જીવને ખતરો છે અને જે સુરક્ષાનો ખર્ચ ચૂકવવા તૈયાર છે. અરજી કરનારે એમ કહેતા અંબાણી ભાઇઓની સુરક્ષા પરત લેવાની માંગણી કરી હતી કે તેઓ પોતાના ખર્ચ પર પોતાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.
બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું કે કાયદોનું પાલન કરાવાનું કામ સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યની છે. એવામાં એવા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવાનું સામેલ છે જેમાં તેના જીવને ખતરો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ (RIL)ની રેવન્યુનો ભારતના જીડીપી પર ઘણો મોટો પ્રભાવ છે. આ લોકોના જીવના જોખમને હલ્કામાં ન લઇ શકાય.
સુપ્રીમ કોર્ટે કર્યા ગંભીર સવાલ
અંબાણી ભાઇઓ તરફથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે બંને ઉદ્યોગપતિ ભાઇઓ અને તેમના પરિવાર પર જીવનો ખતરો છે. વરિષ્ઠ વકીલે કહ્યું કે અમે સરકાર તરફથી મળેલી સુરક્ષાને લઇને રૂપિયા આપી રહ્યાં છે. તેના પર કોર્ટે સવાલ કર્યો કે શું એવો દરેક માણસ જેને જીવનો ખતરો હોય અને જે સુરક્ષા ખર્ચ ઉઠાવવા તૈયાર હોય, તેમને સરકાર તરફથી
સુરક્ષા પ્રદાન કરવી જોઇએ?
સુપ્રીમે જણાવ્યું કે અમારુ સુચન એ છે કે કોઇ ખાનગી ઇંડિવિઝુઅલ પેમેંટ કરવામાં સક્ષમ છે તો સરકાર તેને સુરક્ષા પ્રદાન કરવી જોઇએ. કોર્ટે કહ્યું કે સરકારને કોઇના ખતરા અને તેની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતી રહેવી જોઇએ.
મનમોહન સરકારમાં મળી હતી અંબાણીને સુરક્ષા
ઉલ્લેખનીય છે કે 2013માં મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી આપવાના મુદ્દાએ જોર પક્ડયું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે તત્કાલીન મનમોહન સિંહની સરકારને દેશના સૌથી ધનવાન શખ્સને Z+ સિક્યોરિટી આપવ જવાબ રજૂ કરવા કહ્યું હતું. કોર્ટે સરકારને પૂછવામાં આવ્યું હતું કે અંબાણીને Z+ સુરક્ષા કેમ આપવામાં આવી?
સુપ્રીમે રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણની સુરક્ષા પર સરકારના નિર્ણય પર જણાવ્યું કે એવા વ્યક્તિઓને સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે જ્યારે આમ માણસ પોતાને અસુરક્ષિત કરી રહ્યો છે. કોર્ટે આવા વ્યક્તિઓને સુરક્ષા પ્રદાન કરવા પર સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું કે દેશમાં સુરક્ષાની કમીના કારણે આમ લોકો અસુરક્ષિત છે. કોર્ટે જણાવ્યું કે ધનવાન લોકો ખાનગી સુરક્ષા એજન્સીઓની સેવા લઇ શકે છે.
અંદાજે 15 લાખ ખર્ચ ઉઠાવી રહ્યાં છે અંબાણી
ત્યારે CRPFના તત્કાલિન મહાનિદેશક પ્રણય સહાયે અખબાર ઇકોનોમિક ટાઇમ્સને કહ્યું હતું, સિક્યોરિટી પર્સનલની સેલેરી અને એસ્કોર્ટ વાહનોના સંચાલન પર અંદાજે 15 લાખ રૂપિયા ખર્ચ થશે.