મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીનની રિલાયન્સ ગ્રુપની બે સોલર કંપનીના ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ નિયુક્તિ બાદ હવે ઈન્વેસ્ટર્સમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવનારા સમયમાં મુકેશ અંબાણીની સફળતા આગળ કોણ લઈ જશે.
અનંત અંબાણીની નિમણુક કરવામાં આવી
સાઉદી અરામકો આ કંપનીમાં 20 અરબ ડોલરનું રોકાણ કરશે
સાથે સાથે પાંચ અન્ય કંપનીઓ પણ છે
અનંત અંબાણીની નિમણુક કરવામાં આવી
24 જૂને થયેલી રિલાયન્સ એન્યુઅલ જનરલ મિટિંગમાં રિલાયન્સ ગ્રૂપના ચેરપર્સન મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી માટેની ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. આ માટે 60 હજાર કરોડ રૂપિયાના ફંડની પણ જાહેરાત પણ કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની રિલાયન્સ ન્યુ એનર્જી અને રિલાયન્સ ન્યુ સોલર એનર્જીના ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ પેહલા ફેબ્રુઆરી 2021માં રિલાયન્સ અનંત અંબાણીને રિલાયન્સના ઓઇલ ટુ કેમિકલ બિઝનેસમાં ડાયરેક્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે.
સાઉદી અરામકો આ કંપનીમાં 20 અરબ ડોલરનું રોકાણ કરશે
એન્યુઅલ મિટિંગમાં સાઉદી અરામકોના પ્રમુખને પણ O2C બિઝનેસના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે સાઉદી અરામકો આ કંપનીમાં 20 અરબ ડોલરનું રોકાણ કરશે. એક વર્ષ પહેલા અનંત અંબાણીને જિયો પ્લેટફોર્મના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ બોર્ડમાં મુકેશ અંબાણીનો મોટો દીકરો આકાશ અને દીકરી ઈશા પહેલેથી જ સામેલ હતા. મુકેશ અંબાણી હાલ 64 વર્ષના છે, તેમણે હાલ નવા ચેરપર્સનને લઈ કોઈ જાહેરાત નથી કરી પણ ઇન્વેસ્ટર કોમ્યુનિટીમાં એ ચર્ચા થઈ રહી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નવો ચેરપર્સન કોણ હશે?
સાથે સાથે પાંચ અન્ય કંપનીઓ પણ છે
એક મીડીયા રિપોર્ટર અનુસાર, રિલાયન્સ ન્યુ એનર્જી અને રિલાયન્સ ન્યુ સોલર એનર્જીની સાથે સાથે પાંચ અન્ય કંપનીઓ રિલાયન્સ ન્યુ એનર્જી સ્ટોરેજ, રિલાયન્સ સોલર પ્રોજેક્ટ્સ, રિલાયન્સ ન્યુ એનર્જી કાર્બન ફાઈબર અને રિલાયન્સ ન્યુ એનર્જી હાઈડ્રોજન ઇલેક્ટ્રોલાઇસિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાત કંપનીઓમાં 3-3 ડાયરેકટર છે. આ સાત કંપનીમાં એક કોમન ડાયરેકટર છે જેનું નામ શંકર નટરાજન છે.