દિગ્ગજ કારોબારી મુકેશ અંબાણીએ દેશમાં આમૂલ ફેરફાર માટે ત્રણ પ્રમુખ લક્ષ્ય નક્કી કર્યાં છે. એક બુક લોન્ચ સમારોહમાં મુકેશ અંબાણીએ પોતાના આ લક્ષ્યોનો ખુલાસો કર્યો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતને બદલવા માટે ત્રણ મુખ્ય લક્ષ્ય પર કામ કરી રહ્યાં છે. અંબાણીએ કહ્યું કે તેમનું પહેલું મુખ્ય લક્ષ્ય ભારતને એક ડિજિટલ સોસાયટીમાં બદલવાનું છે.
દેશ બદલવાનું પહેલું લક્ષ્ય
પૂર્વ નોકરશાહ એન કે. સિંહની પુસ્તક 'પોર્ટ્રેટ ઓફ પાવરઃ હાફ અ સેંચુરી ઓફ બીઇંગ એટ રિંગસાઇડ'ના વિમાચન સમારોહને સંબોધન કરતા સોમવારે મુકેશ અંબાણીએ આ અંગેની વાત કરી. મુકેશ અંબાણીએ કહ્યું, 'હું ત્રણ વસ્તુઓ પર કામ કરી રહ્યો છું. પહેલું છે ભારતને એક ડિજિટલ સોસાયાટીમાં બદલવું. ડિજિટલ સોસાયટી ભવિષ્યના બધા ઉદ્યોગોને સમાયેલ કરશે અને ભારત ત્યાં પહોંચશે જેની આપણે કલ્પના પણ કરી નહોતી'.
શું છે અંબાણીનું બીજુ લક્ષ્ય
મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેનું બીજુ લક્ષ્ય ભારતના એજ્યુકેશન સેક્ટરમાં બદલાવ લાવવાનો છે. મુકેશ અંબાણીએ કહ્યું, 'કોઇપણ સમયે આપણા દેશની શિક્ષણ પ્રણાલીમાં અંદાજે 20 કરોડ બાળકો રહે છે. ભારતના સ્કિલ આધારને સંપૂર્ણ રીતે બદલવા માટે 8 થી 10 વર્ષ લાગશે'
આ છે ત્રીજુ લક્ષ્ય
મુકેશ અંબાણીએ કહ્યું ભારતમાં એ વાતની ક્ષમતા છે કે 'જાદુને હક્કીતમાં બદલી નંખાઇ' મુકેશ અંબાણીએ જણાવ્યું કે તેમનું ત્રીજુ લક્ષ્ય ઊર્જાના ક્ષેત્રમાં આમૂલ બદલાવ કરવાનું છે. અંબાણીએ કહ્યું કે દુનિયાની સાથે ભારતમાં પણ એ જ વિચાર ચાલે છે કે આવનારા દાયકામાં જીવાશ્મ ઇંધણથી સંપૂર્ણ રીતે હટીને નવીનીકરણ ઊર્જાને અપનાવામાં આવે.