સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવતી મુંબઈમાં સુરક્ષાકવર ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા મળતી રહેશે
સુપ્રીમ કોર્ટ કેન્દ્રને આપી મંજૂરી
ત્રિપુર હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને આપવામાં આવતી મુંબઈમાં સુરક્ષાકવર ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.આ ઉપરાંત કોર્ટે અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવા વિરુદ્ધ ત્રિપુરા હાઈકોર્ટમાં દાખલ કરવામા આવેલી અરજી પણ રદ કરવાનો આદેશ આપ્યો છે.
CJIએ સુરક્ષા ચાલુ રાખવાનો આપ્યો આદેશ
સીજેઆઈએ કેન્દ્ર સરકાર દ્વારા મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેતી સુરક્ષા ચાલુ રાખવાનો આદેશ આપતા કહ્યું કે, સુરક્ષા આપવાની વિરુદ્ધમાં ત્રિપુર હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને ચાલુ રાખવાનો કોઈ ઔચિત્ય નથી.
ત્રિપુરા હાઈકોર્ટમાં આપ્યો હતો પડકાર
હકીકતમાં જોઈએ તો, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને મુંબઈમાં સુરક્ષા કવર આપવાને પડકાર આપતી જાહેર હીતની અરજી ત્રિપુરા હાઈકોર્ટમાં દાખલ થઈ હતી.
જેમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ગૃહમંત્રાલયની પાસે રાખી અને મૂળ ફાઈલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જેના આધાર પર અંબાણી પરિવારને સુરક્ષા આપવામાં આવતી હતી. તેના વિરુદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા અને જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હેમા કોહલીની પીઠે અંબાણીની સુરક્ષાને પડકાર આપતી ત્રિપુરા હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલી જાહેરહીતની અરજીને રદ કરવા કહ્યું છે.