સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિ જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે ઘણી મોટી જાહેરાતો કરી છે, જેમાં એક એમના એવા કર્માચારીઓથી જોડાયેલા છે. કંપનીની જાહેરાતાઓ પ્રમાણે જેની સેલેરી 30 હજાર રૂપિયાથી ઓછી છે એમને મહિનામાં બે વખત સેલેરી આપવામાં આવશે.
જેમની સેલેરી 30 હજાર રૂપિયાથી ઓછી, એમને મળશે બે વખત પગાર
લૉકડાઉન દરમિયાન રોકડની સમસ્યાને દૂર કરવા માટે આ પગલું
કોરોના વાયરસના કારણથી તમામ સરકારી અને બિન સરકારી કંપનીઓ સંકટમાં છે. આ સંકટનો સામનો કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટો નિર્ણય લીધો છે, જે બીજી કંપનીઓ માટે એક શીખ છે.
સમગ્ર દેશમાં લૉકડાઉનની સ્થિતિને જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ઘણી મોટી જાહેરાત કરી છે. એમાંથી એક કંપનીના એવા કર્મચારીઓથી જોડાયેલા છે, જેની સેલેરી 30 હજાર રૂપિયાથી ઓછા છે, એમને મહિનામાં બે વખત પગાર આપવામાં આવશે.
'ઇમરજન્સીમાં રોકડની ખામી થશે નહીં'
વાસ્તવમાં મંગળવારે રાતે 12 વાગ્યાથી દેશમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે અને આવતા 21 દિવસ સુધી દેશમાં આ સ્થિતિ રહેશે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં કહ્યું, 'દર મહિને 30,000 રૂપિયાથી ઓછા કમાવનાર લોકો માટે, એમના કેશફ્લોને બચાવવા અને કોઇ પણ ભારે નાણાંકીય બોજને ઓછો કરવા માટે કંપનીએ એમની સેલેરી બે ભાગમાં આપવાનો નિર્ણય કર્યો છે.'
કંપનીએ કહ્યું કે કોરોના વાયરસના કારણથી લોકો ઘરોથી બહાર નિકળી શકશે નહીં અને એવી સ્થિતિમાં કર્માચારીઓને રોકડની સમસ્યા થઇ શકે છે. એટલા માટે સેલેરી બે ભાગમા આપવામાં આવશે. જેનાથી કેશ ફ્લો બનેલો રહે અને એમની પાસે કોઇ આપાત સ્થિતિથી નિપટવા માટે પૈસા રહે.
કોરોનાથી લડવા માટે રિલાયન્સની પહેલ
કંપનીએ કહ્યું કે રિલાયન્સ પરિવારના 6 લાખ સભ્ય કોરોના વાયરસની વિરુદ્ધ લડાઇમાં પૂરી રીતે તૈનાત છે. નોંધનીય છે કે રિલાયન્, ફાઉન્ડેશને તાજેતરમાં કોરોના દર્દીઓની સારવાર માટે મુંબઇમાં એક 100 બેડની હોસ્પિટલ આપી છે. આ ઉપરાંત થોડાક દિવસો પહેલા રિલાયન્સનું નિવેદન આપ્યું હતું કે કોઇ કૉન્ટ્રેક્ટ કર્મચારીને હટાવવામાં આવશે નહીં અને એમને સમગ્ર પગાર મળશે.