માર્કેટ કેપિટલની રીતે ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સના શેરના ઘટાડાની અસર કંપનીના માલિક મુકેશ અંબાણી પર જોવા મળી રહી છે. આ ઘટાડા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1 લાખ કરોડ રુપિયાની અછત આવી છે.
લગભગ 7 અરબ ડૉલર એટલે કે લગભગ 51, 100 કરોડ રુપિયાનું નુકશાન થયું છે
સોમવારે રિલાયન્સના શેર 8.6 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે
માર્ચ બાદ રિલાયન્સના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો
એક જ દિવસમાં મુકેશ અંબાણી લગભગ 7 અરબ ડૉલર એટલે કે લગભગ 51, 100 કરોડ રુપિયાનું નુકશાન થયું છે. આ કારણે મુકેશ અંબાણી ફોર્બ્સના સૌથી ધનિક લોકોની યાદીમાં 7માં સ્થાન પરથી ઘટીને 9માં સ્થાન પર આવી ગયા છે.જો કે ફોર્બ્સની ટોપ 10 યાદીમાં રહેલા એક માત્ર ભારતીય છે. મુકેશ અંબાણી નેટવર્થ હજું પણ 71.3 અરબ ડોલર છે. સોમવારે રિલાયન્સના શેર 8.6 ટકા ઘટાડાની સાથે બંધ થયા છે.
માર્ચ બાદ રિલાયન્સના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં કંપનીનો ફાયદો 15 ટકા ઘટ્યો છે. જેના કારણે તેમના શેરમાં ઘટાડો નોંધાયો છે. પોતાની તેલ કંપની તથા કેમિકલ્સ બિઝનેસમાં સુસ્તી રહી છે. પરંતુ ટેલિકોમ જેવા કન્ઝુમર ફેસિંગ કારોબારમાં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
કંપનીએ કહ્યું કે બીજા ક્વાર્ટમાં ગ્રુપ કામકાજ અને રેવન્યૂ પર કોરોનાની મહામારીની અસર પડી છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં તેનો નેટ પ્રોફિટ 9567 કરોડ રુપિયા રહ્યો જે આ વર્ષના સમાન સમયગાળામાં 11262 કરોડ રુપિયા હતો. કંપનીએ ટેલિકોમ બિઝનેસે આ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યુ અને 73 લાખ સબ્સક્રાઈબર્સ જોડાયા.
આ દરમિયાન કંપનીનો પ્રતિ વ્યક્તિ રાજસ્વ વધીને 145 રુપિયા થઈ ગયો છે. આ પહેલા બીજા ક્વાર્ટરના પરિણામો બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(આરઆઈએલ)ના શેર પર વિશ્લેષકોએ સંયુક્ત સલાહ વ્યક્ત કરી હતી. કેપિટલ સિક્યોરીટી ફર્મ મૈક્વેરીએ રિલાયન્સના શેર માટે 1195 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈઝ આપી છે.
તેની કંપનીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અનેક બીજા વિશ્લેષકોનું માનવું છે કે આ શેરમાં તેજી આવી શકે છે.