સંજીવ સિંહ 30 જૂને ઈન્ડીયન ઓઈલ કૉર્પોરેશનમાંથી નિવૃત્ત થયા હતા
30 જૂને ઈન્ડીયન ઓઈલ કૉર્પોરેશનમાંથી નિવૃત્ત થયા
દેશની દિગ્ગજ કંપનીએ રિલાયન્સ લિમિટેડમાં સરકારી ઓઈલ કંપની ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન રહી ચુકેલા સંજીવ સિંહને પ્રેસિડેન્ટ પદે નિયુક્ત કર્યા છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં તે ઓઈલ અને કેમિકલ સહીતના બીઝનેસને સંભાળશે. સંજીવ સિંહ 30 જૂને ઈન્ડીયન ઓઈલ કૉર્પોરેશનમાંથી નિવૃત્ત થયા હતા અને તે બાદ હવે તે રિલાયન્સની બિઝનેસ લીડરશીપ ટીમનો હિસ્સો હશે. નોંધનીય છે કે રિલાયન્સ ગ્રુપની બે રિફાયનરી પણ આવે છે અને તે ગુજરાતના જામનગર સ્થિત છે.
ઓઈલ ટૂ કેમિકલ બિઝનેસ માટે અલગ જ યુનિટ સ્થાપવાનો નિર્ણય
નોંધનીય છે કે રિટેલથી લઈને ડિજીટલ સુધી કારોબારમાં પગપેસારો કરનાર રિલાયન્સે હવે ઓઈલ ટૂ કેમિકલ બિઝનેસ માટે અલગ જ યુનિટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ નવી કંપનીનું નામ Reliance O2C Ltd હશે. આટલું જ નહીં તેમાં 20 ટકા ભાગીદારી સાઉદીની સૌથી મોટી કંપની અરામ્કોને વેચવા પર પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ ડીલ 15 અબજ ડોલરમાં થઇ શકે છે.
સંજીવ સિંહ હવે ગ્રુપની મેન્યુફેક્ચરિંગ સર્વિસીસને લીડ કરશે
આ પહેલીવાર નથી રિલાયન્સે સરકારી અધિકારીઓ પર પસંદ ઉતારી હોય. આ વર્ષની શરૂઆતમાં જ કંપનીએ ઈન્ડીયન ઓઈલના વધુ એક પૂર્વ ચેરમેન સાર્થક બેહુરિયાને સિનીયર એડવાઈઝરના રૂપમાં નિયુક્ત કર્યા છે. તેમને કંપનીના ફયુલ રિટેલ બિઝનેસમાં વિસ્તાર કરવાની નીતિ પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
હિતલ મેસ્વાણી દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલ જાણકારી અનુસાર સંજીવ સિંહ હવે ગ્રુપની મેન્યુફેક્ચરિંગ સર્વિસીસને લીડ કરશે અને તેનું સંચાલન કરશે જે ઓઈલ ટૂ કેમિકલ બિઝનેસના બેકબોનની જેમ રહેશે. નોંધનીય છે કે રિલાયન્સ રિફાઈનિંગ અને માર્કેટિંગના બિઝનેસને મેસ્વાણી જ સંભાળે છે અને આ સિવાય સુરિન્દર સની રિફાઈનિંગ બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટ છે. મેસ્વાણીને અંબાણીના ખૂબ નજીકના વ્યક્તિઓમાં ગણવામાં આવે છે અને બે દાયકાથી તેઓ અંબાણી સાથે કામ કરી રહ્યા છે.