કોરોના વાયરસને કારણે અનેક ઉદ્યોગોને નુકસાન વેઠવું પડ્યું છે. જેમાં રમકડાના માર્કેટને પણ ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. રમકડાના ધંધાને નુકસાન થયુ હોવા છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી રમકડાનો ઉદ્યોગ દેશમાં વધારવા પર વિચાર કરી રહ્યા છે.
મુકેશ અંબાણી રમકડાનો ઉદ્યોગ દેશમાં વધારવા પર વિચાર કરી રહ્યા છે
આ વ્યવસાયને મહામારી દરમિયાન વધારવાનો પ્લાન કરી રહી છે
રમકડા બજારમાંથી ચીનની છુટ્ટી કરવાની તૈયારી થઈ ગઈ છે
હકિકતમાં ગત વર્ષ અંબાણીની કંપની રિલાયન્સે બ્રિટનની રમકડાની બ્રાન્ડ હેમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડના લગભગ 620 કરોડનું રોકાણ કરવાનું એલાન કર્યુ હતુ. હવે કંપની આ વ્યવસાયને મહામારી દરમિયાન વધારવાનો પ્લાન કરી રહી છે. અંબાણી આ યોજના હેઠળ નવા સ્ટોર ખોલવામાં ભાગ લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને લીધે આ કંપનીને ભારે નુકસાન થયું છે.
હેમલેજ કંપનીની સ્થાપના 259 વર્ષ પહેલા 1760માં થઈ હતી. જે વિશ્વની સૌથી જૂની અને મોટી રમકડા બનાવનારી દુકાન છે. પહેલો સ્ટોર લંડનમાં 1881માં ખોલ્યો હતો. કંપની થિયેટર્સ અને મનોરંજન સાથે રિટેલ નેટવર્ક પણ ધરાવે છે. વૈશ્વિક સ્તર પર હેમલેજના 18 દેશોમાં 167 સ્ટોર છે. ભારતમાં રિલાયન્સ હેમલેજની માસ્ટર ફ્રેન્ચાઈજી છે અને દેશના 29 શહેરોમાં 88 સ્ટોર્સનું સંચાલન કરી રહી છે.
ત્યારે ભારત અને ચીનના તણાવની વચ્ચે રમકડા બજારમાંથી ચીનની છુટ્ટી કરવાની તૈયારી થઈ ગઈ છે. પીએમ મોદી પોતે રમકડા મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન યોજનાની સમીક્ષા કરી રહ્યા છે. હાલમાં આ અંગે બેઠક થઈ હતી. જેમાં માટી, લાકડી અને પરંપરાગત રમકડા પર ભાર મુકાતા રમકડાને કેન્દ્રમાં રાખી ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે સંગઠિત રમકડા બજાર 85-90 ટકા સુધી ચીનની આયાત પર નિર્ભર છે. આ નિર્ભરતા ખતમ કરતા ચીની રમકડા પર 200 ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે.