પેટ્રોલિયમ સેક્ટરના બાદશાહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન મુકેશ અંબાણી ટેલીકોમ સેક્ટરમાં ધમાલ મચાવ્યા બાદ હવે રિટેલ પેટ્રોલિયમ સેક્ટરમાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુકેશ અંબાણી ફરીથી પેટ્રોલ પંપનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર નવી રણનીતિ હેઠળ આ વખત મુકેશ અંબાણી પોતાના પેટ્રોલ પંપો પર બજાર ભાવથી 10 થી 20 રૂપિયા સસ્તુ પેટ્રોલ આપી શકે છે. રિપોર્ટ અનુસાર આ ડિસ્કાઉન્ટ તમામ જગ્યા પર એક જ જેવી હશે. સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે પેટ્રોલ પંપોને જિયોના બેનર તેલ સંચાલિત કરી શકાય છે. આ જગ્યાના હિસાબથી અલગ અલગ હોઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો રિલાયન્સ આવું કરે છે તો બીજી કંપનીઓને પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવા માટે મજબૂર થવું પડશે.
તાજેતરમાં સરકારી તેલ કંપનીઓએ સમગ્ર દેશમાં આશરે 25 હજાર નવા પેટ્રોલ પંપ લગાવવાની જાહેરાત કરી છે. એમાં સૌથૂી વધારે પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી લગાવવામાં આવશે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની એસ્સાર ઓયલે પણ આવનાર વર્ષોમાં પોતાના પેટ્રોલ પંપોની સંખ્યા વધારીને 5 હજાર કરવાની યોજના બનાવી છે. એને જોતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન મુકેશ અંબાણીએ ફરીથી પૂરી તૈયારી સાથે આ સેક્ટરમાં ઊતરવાની યોજના બનાવી છે.જણાવી દઇએ કે હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર દેશમાં 1400 પેટ્રોલ પંપ છે. એમાં આશરે 1100ને ઘણા વર્ષો બાદ ફરીથી ચાલૂ કરવામાં આવ્યો છે.
દેશમાં હાલ સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિંદુસ્તાન પેટ્રોલિયમ ઉપરાંત ખાનગી ક્ષેત્રની એસ્સાર ઓઇલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોલ પંપ સંચાલન કરે છે.