પોલીસે કહ્યું કે આ કેસ આત્મહત્યા જેવો લાગી રહ્યો છે પરંતુ તપાસની જરુર છે.
હિરેન મનુસુખે કલવા ક્રીકમાં કુદીને આત્મહત્યા કરી છે. હિરેનની લાશ મળ્યાંની ખબર મળતાં નોપાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રીકના નાળામાંથી તેની લાશને કબજે કરીને પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હિરેન મનસુખ ઠાણેનો વેપારી હતી અને તે ક્લાસિક મોટર્સનો પણ માલિક હતો. તેઓ ઠાણેમાં ક્લાસિક મોટર્સની ફ્રેચાઈઝી ચલાવતો હતો. બીજી પણ એક મહત્વની જાણકારી સામે આવી છે. એન્ટિલીયા કેસની તપાસ કરી રહેલા સચિન વાજે અને મનસુખ એકબીજાના સંપર્કમાં હતા.
ગુરુવારથી ઘેરથી ક્યાંક ચાલ્યો ગયો હતો
આત્મહત્યા કરનાર મનસુખ ગુરુવારથી ઘેરથી કોઈને કીધા વગર ક્યાંય ચાલ્યો ગયો હતો. તેના પરિવારજનોએ મુંબઈના નોપાડા પોલીસ સ્ટેશમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યાનુસાર વિસ્ફોટ મળ્યાંના થોડા દિવસ પહેલા મનસુખ હિરેનની કાર મુલુંડ વિસ્તારમાંથી ચોરાઈ હતી.
પોલીસે કહ્યું કે આ કેસ આત્મહત્યા જેવો લાગી રહ્યો છે પરંતુ તપાસની જરુર છે.
મુકેશ અંબાણીના ઘર બહાર જિલેટીનથી ભરેલી જે કાર મૂકવામાં આવી હતી તેનો માલિક હિરેન મનસુખ હતો. આ કારમાંથી ધમકીભરેલા પત્રો પણ મળ્યાં હતા. કારમાંથી જિલેટીનની 20 સ્ટીક પણ મળી આવી હતી.
એક પત્ર પણ મળ્યો હતો જેમાં લખાયું હતું કે આ તો ફક્ત એક ટ્રેલર છે. નીતા ભાભી, મુકેશ ભાઈ... આ તો ફક્ત એક ટ્રેલર છે. આવતે વખતે આ બધો સામાન તમારી પાસે આવશે અને તેની બધી વ્યવસ્થા થઈ ગઈ છે.