મુકેશ અંબાણીના ઘર બહાર મળી આવેલ વિસ્ફોટક મામલે નવો ખુલાસો સામે આવ્યો છે.
એન્ટેલિયા કેસનું તિહાર કનેક્શન
જેલથી જૈશ-ઉલ-હિંદે આપી હતી ધમકી
સુરક્ષા એજન્સીએ ટ્રેક કર્યો નંબર
જેલથી જૈશ-ઉલ-હિંદે આપી હતી ધમકી
મુંબઈમાં અંબાણી હાઉસ એટલે કે એન્ટેલિયા બહારથી કારમાંથી વિસ્ફોટક મળવાનું કનેક્શન તિહાર જેલ સાથે જોડાઈ રહ્યું છે. જેલમાંથી જૈશ- ઉલ-હિંદે ધમકી આપી હતી હવે સુરક્ષા એજન્સીઓએ નંબર ટ્રેક કર્યો છે તો બીજી તરફ સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મૃત્યુ મામલે પોલીસ અધિકારી સચિન વાજેનું નામ સામે આવ્યું છે. મનસુખના પરિવારજનોએ સચિન વાજે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે વિપક્ષે દબાણ કરતા ગૃહમંત્રીએ વાજેનું ક્રાઈમબ્રાંચમાંથી ટ્રાન્સફર થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી.
વિસ્ફોટક ભરેલી કાર મળવાનું તિહાર કનેક્શન
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી આવ્યા બાબત તપાસના તાર તિહાડ જેલ સુધી જોડાઈ ગયા છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર વિસ્ફોટક મળ્યા બાદ ટેલિગ્રામ ચેનલથી ધમકી આપવામાં આવી હતી જે તિહાડ જેલમાં બનાવવામાં આવી હતી. ઊતરો અનુસાર પોલીસના સ્પેશલ સેલને ટેકનિકલ સર્વિલૅન્સમાં આ વસ્તુ મળી આવી છે.
સુરક્ષા એજન્સીએ ટ્રેક કર્યો નંબર
નોંધનીય છે કે સુરક્ષા એજન્સીઓએ તે નંબરને ટ્રેક કરી લીધો છે અને હવે તે મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર જેલમાં જે કેદીયોએ આ કાંડ કર્યું હતું તે બધાની જાણકારી સ્પેશ્યલ સેલને મળી ગઈ છે અને તિહાડ જેલના અધિકારીઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે.
25મી ફેબ્રુઆરીએ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી હતી અને તે બાદ 27મી ફેબ્રુઆરીના રોજ એક ટેલિગ્રામ ચેનલના મધ્યમથી જાણકારી આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે તિહાડ જેલમાં જ તે ટેલિગ્રામ ચેનલ તૈયાર કરવાં આવી છે. નોંધનીય છે કે મુકેશ અંબાણીના ઘર બહાર આ કાર મળી આવ્યા બાદ ચિઠ્ઠી પણ મળી હતી કે આ તો માત્ર ટ્રેલર છે અને હજુ મોટી પીકચર બાકી છે.