ખાસ કરીને વર્ષાઋતુની શરૂઆતમાંજ દક્ષિણ ગુજરાત પર મેઘો વધારે મહેરબાન જણાઈ રહ્યો છે. જો કે તેનાં કારણે જ્યાં એક તરફ ખેતી માટે પાણીની ચિંતા ઘટી ગયેલી જણાય છે તો બીજી તરફ ધસમસતા પાણીનાં પ્રવાહમાં અનેક નાળા, લો લેવલ બ્રિજ, અને જર્જરિત બાંધકામો જવાબ દઈ રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક નાગરિકો હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે. જોઈએ આ અહેવાલ. જો કે આ ભારે વરસાદમાં મજબૂતીના દાવા કરાતાં નદી પરના નાના પુલ, અને કોઝ વે ધોવાઈ ગયા છે જેના કારણને આવા સરકારી બાંધકામની મજબૂતાઈની પોકળતા છતી થઈ ગઈ છે. આ છે સુરતના માંડવી તાલુકાના મુજલાવ ગામમાં ખાડી પર બનેલો લો લેવલ બ્રિજ.
ચોમાસા (monsoon) ની સિઝન વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વર્ષાઋતુની શરૂઆતમાંજ દક્ષિણ ગુજરાત પર મેઘો વધારે મહેરબાન જણાઈ રહ્યો છે. જો કે તેનાં કારણે જ્યાં એક તરફ ખેતી માટે પાણીની ચિંતા ઘટી ગયેલી જણાય છે તો બીજી તરફ ધસમસતા પાણીનાં પ્રવાહમાં અનેક નાળા, લો લેવલ બ્રિજ અને જર્જરિત બાંધકામો જવાબ દઈ રહ્યાં છે. જેનાં કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક નાગરિકો હાલાંકીમાંથી પસાર થઈ રહ્યા છે. જોઈએ આ અહેવાલ.
છેલ્લાં બે ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત પર મેઘો કંઈક વધારે જ મહેરબાન બન્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં પડેલા અનરાધારે અહીં નદીનાળા માત્ર છલકાવી જ નહીં પણ જાણે વહાવી દીધા છે. જો કે આ ભારે વરસાદમાં મજબૂતીના દાવા કરાતાં નદી પરના નાના પુલ, અને કોઝ વે ધોવાઈ ગયા છે જેના કારણને આવા સરકારી બાંધકામની મજબૂતાઈની પોકળતા છતી થઈ ગઈ છે. આ છે સુરત (surat) ના માંડવી તાલુકાના મુજલાવ ગામમાં ખાડી પર બનેલો લો લેવલ બ્રિજ.
આ બ્રિજ હાલ ચોમાસામાં એવો તો ધોવાઈ રહ્યો છે કે તેના પર ખાડા પડી ગયા છે અને સળિયા દેખાઈ રહ્યા છે. બાજુમાં સાઈન બોર્ડ માર્યું છે કે, પુલ પરથી પાણી વહી રહ્યું હોય તો પુલ પરથી પસાર થવું નહીં. પરંતુ અત્યારે પુલ પરથી પાણી પસાર નથી થઈ રહ્યા. તેમ છતાં પુલ પરથી પસાર થવું ખૂબ અઘરું છે. કારણ કે, આ ખાડી પરનો લો લેવલ બ્રિજ ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય કે વહી જાય તેવી હાલતમાં છે.
જેના કારણે ગ્રામજનોને તેનાં પરથી પસાર થવું જીવને જોખમમાં નાખવા સમાન બન્યું છે. ચોમાસા સમયે ખાડી પર બનેલા આ લો લેવલ બ્રીજ એટલો જોખમી રીતે જર્જરિત થઈ ગયો છે કે, અનેક વાલીઓ પોતાના બાળકોને આ માર્ગે સ્કૂલે રવાના કરતાં દહેશત અનુભવી રહ્યા છે. તો કેટલાક વાલીઓ બાળકો સ્કૂલે પણ નથી મોકલી રહ્યાં. તો વિદ્યાર્થીઓ માટે તો આ જર્જરિતપુલ જ અભ્યાસ આડે વિઘ્ન બની જાય છે.
મૂજલાવથી બારડોલીને જોડતો બ્રિજ દર ચોમાસે વધુને વધું જર્જરિત થતો જાય છે. પરંતુ આ એક જ બ્રિજ છે જે મૂજલાવના લોકોને બારડોલી સાથે જોડે છે. ઉશેકેલ અન મુજલા અને બોઢન અને મુજલા આ બે ગામ વચ્ચે બે ખાડી આવેલી છે. બન્ને ખાડીઓ વરસાદનાં કારણે ઓવર ફ્લો થઈ જાય છે. જેનાં કારણે મુજલા ગામ દર ચોમાસે પાણી વચ્ચે ઘેરાઈ જાય છે.
દર ચોમાસામાં આ હાલત થાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન માંદગીને કારણે ઊભી થતી કટોકટી કે પ્રસૂતિનાં કેસમાં નાગરિકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. મૂજલાવ ગામમાં હોસ્પિટલ કે શિક્ષણ માટે સારી સુવિધા નથી જેનાં કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આ બ્રિજનાં સહારે જ બોધન ગામ જવાની ફરજ પડે છે. મુજલાવથી સૌથી નજીક માંડવી ખાતે બારડોલી સરદાર હોસ્પિટલ આવેલી છે પરંતુ ત્યાં જવા માટે ખાડી પરનો આ બ્રિજ જ એક માત્ર રસ્તો હોવાથી ગ્રામજનો હોસ્પિટલ જઈ શકતા નથી. આ જર્જરિત બ્રિજને વધારે હાઈટ આપવા માટે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા માત્ર ઉપેક્ષા જ દાખવવામાં આવી રહી છે.
મુજલાવ ગામના રહીશો દર વર્ષની આ સમસ્યાના ઉકેલ માટે માંડવી અને સુરત તંત્રને રજૂઆત કરી ચૂક્યાં છે. લોકો અહીંનાં જનપ્રતિનિધિ આનંદભાઈ ચૌધરીને પણ મળી ચૂક્યાં છે. પરંતુ દરેક જગ્યાએથી એક જવાબ મળે છે. ફાઈલ ગાંધીનગર પહોંચી ગઈ છે. ત્યારે ગ્રામજનો એ રાહ જોઈ રહ્યાં છે કે ગાંધીનગરમાં એ ફાઈલ પર મંજૂરીનાં હસ્તાક્ષર ક્યારે થાય.