નવી દિલ્હી: ઇસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆતને મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મોહરમ મહીના ઇસ્લામી વર્ષનો પહેલો મહિનો છે. મુસ્લિમ સમુદાયોમાં આ દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. ઇસ્લામના ચાર પવિત્ર મહિનામાં મોહરમના મહિનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે આ વખત મોહરમ 11 સપ્ટેમ્બરથી 9 ઓક્ટબર સુધી છે. આવું એટલા માટે કારણ કે ઇસ્લામી અને ગ્રેગ્રોરિયન કેલેન્ડરની તારીખો અલગ અલગ હોય છે. ઇસ્લામી કેલેન્ડર ચંદ્રમા પર તો ગ્રેગ્રોરિયન કેલેન્ડરની તારીખો સૂર્યના ઉદય અને અસ્ત થવાના આધાર પર નક્કી થાય છે.
કેમ મનાવાય છે મોહરમ
એક સમય એવો હતો જ્યારે બગદાદની રાજધાની ઇરાકમાં .જીદ નામ ક્રૂર બાદશાહનું શાસન હતું. લોકો યજીદના નામથી ડરતા હતા. સાથે જ એને માણસનો દુશ્મન પણ માનવામાં આવતો હતો. એવામાં મોહમ્મદ એ મસ્તફાના નવાસે હજરત ઇમામ હુસૈનને જાલિમ યજીદની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી.
ત્યારબાદ ગુસ્સૈલ યજીદે પોતાની સત્તા હંમેશા રાખવા માટે હુસૈન અને એના પરિવારના લોકો પર ત્રાસ આપવાનું શરૂ કર્યું અને 10 મોહરમે એમને મોતના ઘાટે ઊતાર્યા. હુસૈનનો હેતુ પોતાનો નાશ કરીને ઇસ્લામ અને માણસાઇને જીવતી રાખવાની હતી. આ ધર્મ યુદ્ધ ઇતિહાસના પાનામાં હંમેશા માટે દાખલ થઇ ગયો. હજરત હુસૈન ઇરાકના શહેરમાં કર્બલામાં યજીદની ફોજ સાથે લડતા લડતા શહીદ થયા હતા.
જે મહિનામાં હુસૈન અને એના પરિવારને શહીદ કરવામાં આવ્યો હતો એ મોહરમનો જ મહિનો હતો. એ દિવસે 10 તારીખ હતી. ત્યારબાદ ઇસ્લામ ધર્મના લોકોએ ઇસ્લામી કેલેન્ડરનું નવું વર્ષ ઊજવવાનું છોડી દીધુ.
10 દિવસ સુધી કાળા કપડામાં જોવા મળે છે શિયા મુસલમાન
મોહરમ ખુશીનો નહીં પરંતુ માતમ અને આંસુ પાડવાનો મહિનો છે. મોહરમ મહિના દરમિયાન શિયા સમુદાયના લોકો મોહરમના 10 દિવસ કાળા કપડા પહેરે છે. સુન્ની સમુદાયના લોકો મોહરમના 10 દિવસ સુધી રોઝા રાખે છે.
મોહરમ દરમિયાન કાળા કપડા પહેરવાની પાછળ હુસૈન અને એના પરિવારની શહીદીને યાદ કરવાનું છે. આ દિવસે હુસૈનની શહીદીને યાદ કરતાં રસ્તા પર જુલૂસ નિકાળવામાં આવે છે અને માતમ મનાવવામાં આવે છે.