યોગી આદિત્યનાથે ફરી વાર સત્તા સંભાળ્યા બાદ યુપીમાં શહેરોના નામ બદલવાની શરૂઆત કરી દીધી છે.
યુપીમાં યોગી આદિત્યનાથની ફરી વાર સત્તા
સત્તામાં આવ્યા બાદ લઈ રહ્યા છે મોટા મોટા નિર્ણય
મુગલોના નામોનિશાન મિટાવશે યોગી
યોગી આદિત્યનાથે ફરી વાર સત્તા સંભાળ્યા બાદ યુપીમાં શહેરોના નામ બદલવાની શરૂઆત કરી દીધી છે. આ મુસ્લિમ નામવાળા શહેર છે. તેમાં લગભગ ઢગલાબંધ જિલ્લા સામેલ છે. પણ હાલમાં શરૂઆતમાં 6 જિલ્લાના નામો સામે આવે છે. લિસ્ટમાં પહેલુ નામ છે અલીગઢ અને ત્યાર બાદ ફર્રુખાબાદ, સુલ્તાનપુર, બદાયૂ, ફિરોઝાબાદ અને શાહજહાંપુર છે.
ગોરખપુરના સાંસદ હતા ત્યારે પણ નામ બદલ્યા હતા
યુપીના મુખ્યમંત્રી હોવાની સાથે સાથે યોગી આદિત્યનાથ ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના મઠાધીશ પણ છે. ગોરખપુરના સાંસદ રહેતા તેમણે કેટલાય વિસ્તારોના નામ બદલી નાખ્યા હતા. તેમાં ઉર્દૂ બજારને હિન્દી બજાર, હુમાયુપુરને હનુમાન નગર, મીના બજારને માયા બજાર અને અલીનગરને આર્યનગર કરી દીધું હતું.
યોગીના પાછલા કાર્યકાળમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ પં.દીનદયાલ ઉપાધ્યાયના નામ પર કરી દીધું હતું. ત્યાર બાદ ઈલાહાબાદ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું હતું.
6 જિલ્લા પર નજર
સૂત્રોના જણાવ્યા અનુસાર 6 જિલ્લા એવા છે, જેના પર અંદરખાને સહમતી બની ચુકી છે અને મોહર લાગી ચુકી છે. સાથે જ ઠોસ ઐતિહાસિક પુરાવા સાથે પ્રપોજલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઼
અલીગઢના પ્રશાસનના સૂત્રએ જણાવ્યું છે કે, રાજનીતિ અને ઈતિહાસ વિષયના પ્રોફેસરની સાથે કેટલાય બુદ્ધિજીવીને ઈતિહાસ અને રાજનીતિ પર શોધ કરીને નવા નામની ભલામણ કરવા માટે કહેવામાં આવ્યું છે. છ મહિના પહેલા તથ્યો સાથે નવું નામ સરકારને પ્રસ્તાવિત પણ કરી દીધા છે. આશા છે કે, આ વખતે વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ પર મહોર લાગી જશે.