જો તમે નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો અને તેના માટે પૈસા નથી, તો તમે વડા પ્રધાન મોદીની આ સ્કીમનો લાભ લઈ શકો છો. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે મોદી સરકાર મુદ્રા શિશુ યોજના હેઠળ લોન પરના વ્યાજદર પર 2 ટકા સુધીની છૂટ આપી રહી છે. સરકાર દ્વારા લોનમાં આપવામાં આવેલી આ છૂટનો લાભ દેશમાં માત્ર એક કે બે નહીં પરંતુ 9 કરોડ 37 લાખ લોકોને મળશે.
પૈસાની જરૂર હોય તો મોદી સરકારની આ સ્કીમ છે બેસ્ટ
ધંધા માટે કોઈ ગેરંટી વિના સરકાર આપી રહી છે પૈસા
આ રીતે તમે પણ મેળવી શકો છો આ સ્કીમનો લાભ
અહીંથી શિશુ મુદ્રા લોન મળશે
તમે આ લોન મુખ્યત્વે દુકાન ખોલવા, સ્ટ્રીટ લારી અથવા અન્ય કોઈ નાના કામ શરૂ કરવા માટે લઈ શકો છો. આ લોન વેપારી બેંકોથી લઈને સ્મોલ ફાઇનાન્સ બેંકો, એમએફઆઇ અને એનબીએફસી દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં લોન કોઈ ગેરંટી વિના આપવામાં આવે છે. આમાં કોઈપણ વ્યક્તિ આ સંસ્થાઓમાં જઈને લોન વિશેની માહિતી મેળવવાની સાથે અરજી કરી શકે છે. આ સાથે જ સરાકરના https://www.udyamimitra.in ઓનલાઇન પોર્ટલ પર જઈને પણ લોન માટે અરજી કરી શકો છો.
શિશુ મુદ્રા લોન શું છે?
શિશુ મુદ્રા યોજના હેઠળ, તમે લોન લઈને તમારા કામની શરૂઆત કરી શકો છો. સરકાર આ લોન પર તમને 2 ટકા સુધીની છૂટ આપી રહી છે. આ યોજના હેઠળ તમે તમારા નાના-મોટા કામ શરૂ કરવા માટે 50 હજાર રૂપિયા સુધીની લોન લઈ શકો છો.
શિશુ મુદ્રા લોન પર આટલો ઈન્ટરસ્ચ લાગે છે
આ યોજના હેઠળ 9થી 12 ટકા વ્યાજ લેવામાં આવે છે. જેમાં સરકારે હવે 2 ટકા સુધીની છૂટ આપી છે. મુદ્રા યોજના હેઠળ, લોન લેનાર વ્યક્તિને 1 જૂન, 2020થી 31 મે, 2021 સુધી આ છૂટ મળશે. જેના માટે આ વર્ષે 1540 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
ગેરંટી વિના જ મળી જાય છે લોન
મુદ્રા યોજના હેઠળ કોઈપણ ગેરંટી વિના લોન આપવામાં આવે છે. આ સિવાય લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ પણ લેવામાં આવતો નથી. મુદ્રા યોજનામાં ચુકવણીની અવધિ 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. લોન લેનારને એક મુદ્રા કાર્ડ મળે છે, જેની મદદથી વ્યવસાયિક જરૂરિયાતો પર ખર્ચ કરી શકાય છે.