મ્યુકરમાઇકોસિસના 40 કેસ નોંધાયા, લોકોને ઈન્જેક્શન મેળવવામાં થઈ રહી છે મુશ્કેલી
ભાવનગરમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં આડ અસર
ભાવનગર જિલ્લામાં કોરોનાના કહેર ની વચ્ચે કોરોનામાંથી મુક્તિ મેળવનારો માટે એક નવી આફત ઉભી થાવ પામી છે ખાસ કરી ને ડાયાબીટીશ અને હાઈ બી પી ના દર્દીઓ કે જેમને કોરોના પોઝિટિવ બાદ સારું થઇ ગયું હોઈ પરંતુ આ દર્દીઓને કોરોના સમયે અપાયેલા ઇન્જેક્શનો અને દવાઓ ના કારણે તેની સાઈડ ઇફેક્ટ થવા પામી છે જેમાં ભાવનગર માં 10 જેટલા લોકો ને આંખો ની રોશની ગુમાવવાનો તેમજ તેમજ જડબામાં ફન્ગલ ઇન્ફેક્શનના કારણે ગળામાં તેમજ તાળવા ને નુકશાન થવાના બનાવો બનતા તંત્ર અને તબીબો માટે ચિંતાનો વિષય પેદા થવા પામ્યો છે
ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીને દવાથી સાઈડ ઈફેક્ટ
સમગ્ર સાથે દેશભરની સાથે રાજયમાં અને ભાવનગરમાં પણ કોરોના નો કહેર છે ત્યારે લોકો ભલે કોરોના ની સારવાર ના કારણે જીવ બચાવી ચુક્યા હોઈ પરંતુ હવે આ દર્દીઓ માટે એક નવી મુસીબત ઉભી થવા પામી છે ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કારણે જીવ બચાવી લેનારા લોકોએ હવે આંખની રોશની અને જડબાના કેટલાક ભાગો ગુમાવવાનો વારો આવ્યો છે ખાસ કરી ને ડાયાબીટીશ નું પ્રમાણ જેમને વધુ રહેતું હોઈ અને જો તેમને કોરોના પોઝિટિવ થયો હોઈ તેવા દર્દીઓ મટે આ ફન્ગલ ઇન્ફેક્શન જોખમી બન્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓ એ કોરાઓના સમયે તબીબ સલાહ મુજબ સ્ટીરોઈડ્સ ના લીધું હોઈ તેમના કારણે આ બનાવો બનાવ પામ્યા છે ભાવનગર માં હાલ મ્યુકરમાઇકોસિસના 40 થી વધુ કેસો જોવા મળ્યા છે જે ચિંતા નો વિષય છે કેટલાક કિસ્સામાં લોકો ને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે .
આ રોગ નો ભોગ બનેલાને ફરિજયાત ઓપરેશન કરાવવું પડે છે જેમાં દરરોજના 5 ઇન્જેક્શન લેવા પડે છે જેની 1 ની કિંમત રૂપિયા 7500 જેવી છે અને હાલ આ ઇન્જેક્શન મળવા પણ મુશ્કેલ બનાયા છે તેમ દર્દીઓના સબન્ધીનું કહેવું છે.
ભાવનગર માં છેલ્લા કેટલાક સમય થી જે લોકો કોરોના પોઝિટિવ બાદ સારા થઇ જતા હોઈ તેમને આ ફન્ગલ નું ઇન્ફેક્શન જોવા મળ્યું છે આ રોગ ના કારણે આંખ કાં અને નાક તેમજ ગળા ના તબીબો ને ત્યાં સારવાર લેનારા ની સંખ્યા પણ વધી છે તબીબો ના માટે ફન્ગલ ઇન્ફેક્શનમાં તાવ આવો તેમજ ગળું ભરાઈ જવું અને આંખમાં સોજા થવા અને બાદ માં આંખ ગુમાવવાનો પણ વારો આવે છે અને જો ધ્યાન ના રાખવામાં આવે તો આની અસર મગજ માં પણ થઇ શકે છે.