આજકાલ કન્હૈયાલાલની હત્યાને લઈને મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો છે ત્યારે ઘણા લોકોએ તેની નિંદા કરી હતી ત્યારે ઘણા લોકો તેમને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે.
રોડીઝની એક્સ કન્ટેસ્ટન્ટ નિહારિકા તિવારીને મળી ઘમકી
તેણીએ ઉદયપુરની ઘટનાની નિંદા કરતો એક વીડિયો શેર કર્યો હતો
આ વિડીયોને લઈને ઘણા લોકો તેમને ઘમકીઓ આપી રહ્યા છે
નિહારિકાને મળી મારી નાખવાની ધમકી
Mtvના ફેમસ રિયાલિટી શો 'રોડીઝ'ની એક્સ કન્ટેસ્ટન્ટ નિહારિકા તિવારી આજકાલ ચર્ચામાં આવી રહી છે. વાસ્તવમાં નિહારિકા તિવારીને કન્હૈયાલાલની જેમ જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. નિહારિકાએ ઉદયપુરની આ ઘટનાની નિંદા કરતો એક વીડિયો શેર કર્યો હતો, જે બાદ તેને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળવા લાગી છે.
કન્હૈયાલાલની હત્યાને લઈને કરી હતી ચર્ચા
નિહારિકા તિવારી છત્તીસગઢના દંતેવાડા જિલ્લાની રહેવાસી છે અને હાલમાં તે ઇન્ડોનેશિયામાં છે. નિહારિકાએ જ્યારથી ઉદયપુરમાં કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યાની નિંદા કરતો વીડિયો શેર કર્યો છે, ત્યારથી તેને ધમકીઓ મળવાની ચાલુ થઇ ગઈ છે. કેટલાક લોકો નિહારિકાનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક તેમને બિભત્સ કોમેન્ટ કરીને કન્હૈયા જેવી હાલત કરવાની ધમકી આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હવે તમે ઉલટું કાઉન્ટડાઉન ગણવાનું ચાલુ કરી દ્યો, હવે તમારો વારો છે.'
કોઈ પણ મુદ્દે લોકો પોતાનો અભિપ્રાય આપી શકે
રિપોર્ટ્સ અનુસાર નિહારિકાનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે અને આવી સ્થિતિમાં તે કોઈ પણ મુદ્દે ખુલીને પોતાનો મંતવ્ય આપી શકે છે. નિહારિકાએ કહ્યું કે ઉદયપુરની ઘટના નિંદનીય છે. મેં તેમાં કશું ખોટું કહ્યું નથી અને મેં નૂપુર શર્માનો પક્ષ પણ લીધો નથી. મેં હમણાં જ કન્હૈયાલાલની હત્યાનો વિરોધ કર્યો છે.
ઘર્મના નામે કોઈની હત્યા ન કરી શકાય
તમને જણાવી દઈએ કે ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નૂપુર શર્માને સમર્થન આપવા બદલ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ નિહારિકા તિવારીએ પોતાના વીડિયોમાં કહ્યું હતું કે આપણા વડાપ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. શું તે ખરેખર સાચું કહેવાય? ભગવાન શિવના નામે હિંદુએ કોઇનું ગળું કાપી નાખ્યું હોય એવું આવું ક્યારેય બન્યું નથી. ધર્મના નામે કોઈને પણની જાન ન લઇ શકાય.