IPL 2023: મહેન્દ્ર સિંહ ધોનીની ઈજાને કારણે આજે પહેલી મેચ રમશે કે નહીં એ વિશે મુંજવણ ઊભી થઈ હતી પણ ટીમના સીઈઓ (CEO) એ ધોનીના ન રમવાની શક્યતાને નકારી કાઢી છે.
મેચ પહેલા એમએસ ધોનીને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ
ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા ઘૂંટણમાં દુખાવો
ફ્રેન્ચાઈઝી પાસે ધોનીના સ્તરનો વિકેટકીપર નથી
IPL 2023: 31 માર્ચના રોજથી ઇન્ડિયન પ્રીમિયર લીગના 16માં સિઝનની શરુઆત થવા જઇ રહી છે. આ લીગનો ક્રિકેટના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટંસની વચ્ચે રમાવાની છે. છેલ્લા સિઝનની વિજેતા ટીમ ગુજરાત ટાઇટંસ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનવાળી ચેન્નઇ સુપર કિંગ્સની વચ્ચે ઓપનિંગ જબરદસ્ત ટક્કર જોવા મળશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો કે આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે કે મેચ પહેલા એમએસ ધોનીને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે.
ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા ઘૂંટણમાં દુખાવો
મહેન્દ્ર સિંહ ધોનીની ઈજાએ આજે ગુજરાત ટાઇટન્સ સામે પહેલી મેચ રમશે કે નહીં એ માટે મુંજવણ ઊભી કરી હતી પણ ટીમના સીઈઓ (CEO) એ આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે. નોંધનીય છે કે 41 વર્ષીય ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીને ચેન્નાઈમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડાબા ઘૂંટણમાં દુખાવો થયો હતો, જેના કારણે તેણે ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં CSKની ટ્રેનિંગમાં ભાગ લીધો ન હતો.
એમએસ ધોની 100 ટકા રમી રહ્યો છે
વાતચીત દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ એ કહ્યું, "જ્યાં સુધી મને ખબર છે, એમએસ ધોની 100 ટકા રમી રહ્યો છે. મારી પાસે બીજી કોઈ માહિતી નથી. જો ધોની નહીં રમે તો CSK ટીમ વિકેટકીપરની જવાબદારી ડેવોન કોનવે અથવા અંબાતી રાયડુને સોંપી શકે છે કારણ કે ફ્રેન્ચાઈઝી પાસે ધોનીના સ્તરનો વિકેટકીપર નથી."
ફ્રેન્ચાઈઝી પાસે ધોનીના સ્તરનો વિકેટકીપર નથી
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુરુવારે કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ દરમિયાન તેણે બેટિંગ કરી ન હતી. ધોની સિઝન પહેલા ઘણી પ્રેક્ટિસ કરે છે પણ પોતાની એનર્જી બચાવવા માટે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા વધારે પ્રેક્ટિસ કરવાનું ટાળે છે. આ ઉંમરે ખેલાડીને વહેલી ઈજા થવાની સમસ્યા છે એટલે આવી સ્થિતિમાં ધોની લાંબી સિઝનને ધ્યાનમાં રાખીને વધુ જોખમ લેવા માંગતો નથી.