ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ક્રિકેટ ભવિષ્ય વિશે અટકળોનો સમય હવે લગભગ પૂરો થઈ ગયો છે. 38 વર્ષનો આ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોનીએ આઈપીએલ 2020 માટેની પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે.
ધોનીની વાપસીને લઈને ચાલી રહેલી અટકળો પર લાગ્યો વિરામ
ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) ટ્રેનિંગ કેમ્પ 1 માર્ચથી શરૂ થઈ રહી છે. સૂત્રો કહે છે કે, ધોની 29 ફેબ્રુઆરીએ ચેન્નઈ પહોંચશે. આ વખતે આઈપીએલ 29 માર્ચથી શરૂ થશે. બીજી બાજુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સીએસકેએ પણ તેના 'થાલા' ને આવકારવા માટે વિશેષ તૈયારીઓ કરી છે.
વર્લ્ડ કપમાં હાર બાદથી બ્રેક પર છે ધોની
બે વખત વિશ્વકપનો ખિતાબ જીતનાર ભારતીય ટીમનો કેપ્ટન ધોની ઈંગ્લેન્ડના 2019ના વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયાની બહાર નીકળ્યા બાદથી બ્રેક પર છે. ગયા વર્ષે નવેમ્બરમાં મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન, ધોનીને તેની વાપસી વિશે પૂછવામાં આવ્યું હતું તો તેણે જવાબ આપ્યો હતો 'જાન્યુઆરી સુધી પૂછશો નહીં.'
Hey you, yes you, who spends time watching, reading or just dreaming about us all through the year, whether we win or fall by one. You are our Valentine. A big whistle for all your #yellove! #ValentinesDay#WhistlePodu 🦁💛 pic.twitter.com/cB5mn2IOXU
ધોનીને વર્ષની શરૂઆતમાં જ (16 જાન્યુઆરી) બીસીસીઆઈ દ્વારા કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ધોનીના ભવિષ્ય અંગેની અટકળો વચ્ચે તેણે રાંચીમાં તેની હોમ ટીમ ઝારખંડ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આ રીતે, તેમણે આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે પોતાને તૈયાર રાખવાનો સંકેત પણ આપ્યો હતો.
ક્રિકેટ કરિયર વિશે લેશે નિર્ણય
નોંધનીય છે કે, જ્યારે આ દિગ્ગજ ક્રિકેટરના કરિયર વિશે એવા સવાલ થવા પર એવું કહેવામાં આવ્યું છે કે, આ અંગે ધોની જ નિર્ણય લેશે. એવું માનવામાં આવે છે કે, ધોનીની નજર હવે આઈપીએલની 13મી સીઝન પર છે, જ્યાં તે પોતાનો 100 ટકા પર્ફોમન્સ આપવા તૈયાર છે. એટલે કે, આઈપીએલમાં પર્ફોર્મન્સના આધારે રાષ્ટ્રીય પસંદગીકારો ઓક્ટોબરમાં યોજાનારી ટી-20 વર્લ્ડ કપ માટે ધોની કેટલા તૈયાર છે તે નક્કી કરશે.