સાઉથ આફ્રિકા વિરુદ્ઘ 15 સપ્ટેમ્બરે થનારી 3 T-20 સીરિઝ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં પસંદગી કરવામાં નથી આવી.
આ પછી ક્રિકેટ નિષ્ણાતો અનુસાર, ધોનીનુ કરિયર ખત્મ થઇ ગયુ. આ વચ્ચે રાષ્ટ્રીય ચયનકર્તા એમ.એસ.કે. પ્રસાદે આ અફવાહોને ખારિજ કરતા કહ્યુ કે, ધોનીએ સાઉથ આફ્રિકા સામેની ત્રણ T -20 મેચ માટે તેની ઉપલબ્ધતા દર્શાવી ન હતી. '' તેમણે કહ્યું કે, ''તે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો."
એમ.એસ.કે. પ્રસાદે કહ્યુ કે, આવતા વર્ષે T-20 વર્લ્ડ કપની તૈયારી માટે ધોનીએ અમને સમય આપ્યો છે. એક ટીમના લોકોનો અભિપ્રાય કરતા વધુ મહત્વપૂર્ણ છે. રિષભ પતંની ઇજા પછી ધોની સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ નથી. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા તેણે 2 મહિનાનો વિરામ લીધો હતો. અમારી બધી ગણતરીઓ બરાબર છે.
'ધોનીની સાથે બેસીને આગળનો રોડમેપ તૈયાર કરવાનો છે'
જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે, '' શું 2019ના વર્લ્ડ કપ પછી ધોનીના ભવિષ્ય અંગે કોઈ માહિતી છે. તો ચયનકર્તાએ કહ્યુ કે, નહી, અમારે તેની સાથે બેસીને આગળનો રોડમેપ તૈયાર કરવો પડશે. તેણે અમારી ભાવિ યોજનાઓ માટે અમને વધુ યોજનાઓ બનાવવા માટે સમય આપ્યો છે.'' ધોની વર્લ્ડ કપમાં
ટીમ ઇન્ડિયાનો ચોથો સૌથી સફળ બેટ્સમેન હતો. તેણે 8 મેચમાં 273 રન બનાવ્યા હતા. તેનાથી વધુ રન લોકેશ રાહુલ (361 રન), વિરાટ કોહલી (443 રન) અને રોહિત શર્માએ (648 રન) કર્યા હતા.
સ્પિપર્સની પસંદગી પણ કરવાની:
T -20 ટીમમાં અન્ય નોંધપાત્ર બાદબાકી સ્પિન જોડિયા છે - કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલ, જેમને વેસ્ટ ઇન્ડીઝ સામેની T -20 ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યા ન હતા. કુલદીપ અને ચહલની T -20 ટીમમાં સતત ગેરહાજરી અંગે પૂછવામાં આવતા પ્રસાદે કહ્યું, "અમે ફક્ત સ્પિનરોનો પૂલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાહુલ ચહર, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટનની પસંદ થઇ તે પછી તેમણે છેલ્લી શ્રેણીમાં સારુ પ્રદર્શન કર્યું હતું અને તેમને વધુ એક તક મળવી જોઈતી હતી.