વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની ધીમી બેટિંગની એક્સપર્ટ્સથી લઇને ફેન્સ સતત ટીકા કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્લ્ડ કપ પછી પૂર્વ કેપ્ટન ધોની ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દેશે. BCCIના એક અધિકારીએ ક્વોટ કરતા જણાવ્યુ કે, મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી મેચ રમશે અને તેના પછી રિટાયરમેન્ટ લઇ લેશે.
ગત થોડા દિવસોથી સતત ધોનીની ટીકાકારોના નિશાના પર છે. ખાસ કરીને વર્લ્ડ કપમાં ધોનીની ધીમી બેટિંગ ટીમ ઇન્ડિયા માટે મોંઘી સાબિત થઇ છે. ધીમી ઇનિંગને કારણે એક વર્ષથી ધોની ફિશિનર તરીકે છબી સતત ઝાંખી પડી રહી છે. વર્લ્ડકપની પસંદગી પહેલાથી જ અટકળો ચાલતી હતી કે ધોની ક્રિકેટની આ સૌથી મોટી ટૂર્નામેન્ટ પછી રિટાયરમેન્ટ જાહેર કરી દેશે.
અફધાનિસ્તાન વિરુદ્ઘ બેટિંગની થઇ હતી ટીકા:
અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં ધોનીએ 52 બૉલમાં 28 રન કર્યા હતા. આ કારણે તેણે ટીકાનો સામનો કરવો પડ્યો. આ ઇનિંગ્સથી ફેન્સ જ નહી, ક્રિકેટના દિગ્ગજો પણ નારાજ થયા હતા. ઇંગ્લેન્ડ વિરુદ્ઘ છેલ્લી ઑવર્સમાં પણ મોટા ન શોર્ટ્સ રમવાને કારણે ધોનીની ટીકા થઇ હતી. વર્લ્ડ કપમાં સ્પિનર્સના સામે ધોનીની સતત ટીકા થઇ. બાંગ્લાદેશની સામેની મેચમાં પણ ધોની પોતાના સહજ અંદાજમાં જોવા મળ્યો ન હતો.
વર્લ્ડ કપમાં ધોનીની ઇનિંગ્સ:
ભારત Vs સાઉથ આફ્રિકાઃ 34 રન અને 1 સ્ટમ્પિંગ
ભારત Vs ઓસ્ટ્રેલિયા: 27 રન અને 1 કેચ
ભારત Vs પાકિસ્તાનઃ 1 રન અને 0 કેચ/ સ્ટમ્પિંગ
ભારત Vs અફઘાનિસ્તાન: 28 રન અને 1 સ્ટમ્પિંગ
ભારત Vs વેસ્ટઈન્ડિઝઃ 56 રન અને 1 સ્ટમ્પિંગ
ભારત Vs ઈંગલેન્ડઃ 46 રન અને 0 કેચ