મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન બનવા પર રવીન્દ્ર જાડેજા વિષે ખુલીને વાત કરી છે. જુઓ તેઓ શું કહે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આપી માત
એમએસ ધોની ફરી બન્યા કેપ્ટન
'રવીન્દ્ર જાડેજા પાસે તૈયારીનો ઘણો સમય હતો' - એમએસ ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને આપી માત
ચેન્નાઈ સુપર કિંગ્સનાં ફેન્સ માટે રવિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો, ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી અને મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે ફરી એકવાર પરત ફર્યા. મેચ પૂરી થયા બાદ એમએસ ધોનીએ કપ્તાની પાછી મેળવ્યા બાદ રવીન્દ્ર જાડેજાનને લઈને વાત કરી. એમએસ ધોનીએ કહ્યું કે રવીન્દ્ર જાડેજાને ગયા વર્ષે જણાવવામાં આવ્યું હતું અને તેમની પાસે કપ્તાની માટે તૈયાર રહેવા માટે ઘણો સમય હતો.
મેચ બાદ એમએસ ધોનીને જ્યારે કેપ્ટન તરીકે પરત ફરવા પર સવાલ કરવામાં આવ્યા, ત્યારે તેમણે જવાબ આપ્ય્યો કે કેપ્ટન બદલવાથી ઘણી વસ્તુઓ સરળતાથી નથી બદલતી, કેમકે જો તમે એક જ ડ્રેસિંગ રૂમમાં હોવ છો, તો એ જ વાતો ફરી કરવા લાગો છો.
ચમચીથી ખવડાવી તો ન શકું: માહી
માહીનું કહેવું છે કે તેઓ જડ્ડૂની મદદ કરી શકે છે પણ ચમચી પકડીને ખવડાવી તો ન શકે. તેમણે સ્વયં જ પોતાના નિર્ણયોની જવાબદારી લેવાની હતી. કેપ્ટન્સીને કારણે તેમનું પોતાનું પ્રદર્શન પ્રભાવિત થવા લાગ્યું, જે કોઈપણ ફેન જોવા માંગતું ન હતું.
જાડેજાને ગત સીઝનમાં જ જાણ હતી
રવીન્દ્ર જાડેજાનાં કપ્તાની છોડવા અને ટીમનાં પ્રદર્શન પર એમએસ ધોનીએ કહ્યું કે ગત સિઝનમાં જ જાણ થઇ ગઈ હતી કે તેમને આ સિઝનમાં કપ્તાની કરવાનો મોકો મળી શકે હકી.આ મારા અને જાડેજાની વાત હતી, આવામાં તેમની પાસે તૈયારી કરવાનો પૂરતો સમય હતો.
એમએસ ધોનીએ કહ્યું કે મેં પ્રથમ બે મેચમાં વસ્તુઓમાં દખલગીરી કરી અને પછી રવીન્દ્ર જાડેજા પર નિર્ણયો છોડી દીધા. કેમકે સિઝનના અંતમાં તમે એ નથી ઈચ્છતા કે કોઈ વિચારે કે હું માત્ર ટોસ માટે હતો અને કપ્તાની તો કોઈ બીજું જ કરી રહ્યું હતું. આવામાં આ ટ્રાન્ઝીશનનો હિસ્સો હતો.
તેમના પ્રદર્શન પર ફરક પડ્યો હતો
કેપ્ટન ધોનીએ નવી જવાબદારીને કારણે રવીન્દ્ર જાડેજાનાં પરફોર્મન્સ પર પણ ફરક પડવાની વાત કરી. ધોનીએ કહ્યું કે જ્યારે તમે કેપ્ટન બનો છો, ત્યારે ઘણી વસ્તુઓ સાથે ચાલે છે અને આવામાં તમારા પ્રદર્શન પર પણ ફરક પડે છે. આવું જ રવીન્દ્ર જાડેજા સાથે પણ થયું, પરંતુ અમને બેટર-ફિલ્ડર-બોલર જાડેજા જોઈએ છે, જેથી તેઓ ટીમને જીત અપાવી શકે.
જણાવી દઈએ કે IPL 2022 શરુ થયાનાં બે દિવસ પહેલા એમએસ ધોનીએ કેપ્ટન્સી છોડી હતી, જ્યાર બાદ રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. પરંતુ જાડેજાની આગેવાનીમાં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું, સાથે જ જાડેજાનાં પ્રદર્શન પર પણ અસર પડી હતી. આવામાં 30 એપ્રિલનાં રોજ રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન્સી છોડી અને ફરી એમએસ ધોની કેપ્ટન બન્યા. ધોનીનાં કેપ્ટન બન્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 13 રનથી માત આપી.