ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને વર્તમાન ટીમના વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને આઇસીસીએ મોટો ઝટકો આપ્યો છે. આઇસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સથી 'બલિદાન બૈજ' નિશાન હટાવવા કહ્યું છે.
જોકે, ધોનીએ પૈરા સ્પેશિયલ ફોર્સીસને સમ્માન આપવા માટે એક અનોખો રસ્તો અપનાવ્યો હતો. તેમણે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ બુધવારે રમાયેલ મેચ દરમિયાન 'બલિદાન બેજ'ના નિશાન વાળા ગ્લવ્સ પહેર્યા હતા જેને આઇસીસીના હુકમ બાદ હવે તેમને ઉતારવા પડશે.
India need 228 to win their #CWC19 opener! A fighting stand by Morris and Rabada has given South Africa something to defend.
જણાવી દઇએ કે 37 વર્ષના ધોનીના ગ્લવ્સ પર 'બલિદાન બેજ'નું ચિહ્ન તે સમયે દેખાડવામાં આવ્યું જ્યારે તેમણે મેચની 40મી ઓવર દરમિયાન યુજવેન્દ્ર ચહલની બોલ પર દ.આફ્રીકના ખેલાડી એન્ડિલે ફેહલુકવાયોને સ્ટંપ આઉટ કર્યો હતો.
જોકે, તેમના ગ્લવ્સ પર દેખાયેલ આ અનોખા નિશાનનો દરેક ઉપયોગમાં ન લઇ શકાય. આ બેજ પૈરા કમાન્ડો લગાવે છે. આ બેઝને 'બલિદાન બેજ'ના નામથી ઓળખવામાં આવે છે.